કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા ભગવતીપરાના મનોજનું મોત

કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા ભગવતીપરાના મનોજનું મોત
કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા ભગવતીપરાના મનોજનું મોત

ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરી પાસે રહેતો મનોજભાઇ ચકુભાઇ ઝરમરીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર મનોજભાઇ બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાલમાં તે મરચાની મીલમાં કામ કરતો હતો. ગત તા. ૬/૪ના રોજ બાઇકમાં પત્નિ કિરણબેનને બેસાડીને જતો હતો ત્યારે કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થયું હતું. સારવાર બાદ સિવિલમાંથી રજા અપાઇ હતી. આજે ફરી બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. તેને અન્ય બિમારી પણ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.