ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આ વર્ષે જ શ્વાન કરડવાના 2.41 લાખ કેસ સામે આવ્યા છે. આમ, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વર્ષે શ્વાન કરડવાના સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત 2.41 લાખ સાથે પાંચમાં સ્થાનેઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શ્વાન કરડવાના કેસમાં 40 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. વર્ષ 2022માં ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ 1,69,261 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે 2,41,846 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે શ્વાન કરડવાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્ર ૪.૩૫ લાખ સાથે મોખરે, તેલંગાણા 4.04 લાખ સાથે બીજા અને ગુજરાત પાંચમાં સ્થાને છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં 2020 બાદ ઘટાડો થઇ રહ્યો છે. 2018થી 2020 દરમિયાન ગુજરાતમાં કૂતરા કરડવાના 4 લાખથી વધુ કેસ નોંધાતા હતા. વર્ષ 2018થી વર્ષ 2023 સુધી ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ 20.80 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here