ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ઓગસ્ટ 2022થી કતાર જેલમાં બંધ છે.આ ભૂતપૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવીછે. આ નિવૃત્ત મરીનને કતારના આંતરિક મંત્રાલયે જેલમાં ધકેલી દીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ પૂર્વ નેવી અધિકારીઓને ફાંસીની સજા સંભળાવ્યા બાદ વિદેશ મંત્રાલયે પણપોતાની પ્રતિક્રિયા આપી છે.આ નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે આજે અલ દહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે.અમે મૃત્યુદંડના નિર્ણયથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ.વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેની નજીકથી નજર રાખી રહ્યા છીએ.અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે આ નિર્ણયને કતારના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવીશું. આ કેસમાં કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે, આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.રિપોર્ટ અનુસાર, આ તમામ પૂર્વ અધિકારીઓ કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે.
Read National News : Click Here
રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજામી આ કંપનીના સીઈઓ છે.આ કંપનીમાં કામ કરતા આઠ ભૂતપૂર્વ મરીનનાં નામ છે-કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ. આ તમામની જાસૂસીના આરોપમાં પૂછપરછ માટે તેમના સ્થાનિક નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કરાયેલા મોટાભાગના ભૂતપૂર્વ અધિકારીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે. તેમના પર લાગેલા આરોપો પર પણ કોઈ પુરાવા નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here