રાજયકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા મનો દિવ્યાંગ બાળકો માટે સેવાભાવથી કામ કરી સંસ્થા પ્રયાસની શુભેચ્છા મુલાકાત કરી મનો દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
કલાસરૂમની મુલાકાત કરી પ્રયાસ સંસ્થાના પ્રમુખ પુજાબેન પટેલ પાસેથી મનો દિવ્યાંગ બાળકોને કઈ પદ્ધતિથી શિક્ષણ અપાય છે તે માહિતી મેળવી હતી. આ ઉપરાંત મનો દિવ્યાંગ બાળકો સાથે પણ તેઓએ વાત કરી હતી. મનોદિવ્યાંગ બાળકો જ તેઓએ જાતે તૈયાર કરેલા દિવડાઓ દ્વારા શિક્ષણમંત્રીનું સ્વાગત કર્યુ હતું.પ્રયાસ સંસ્થા દ્વારા મનો દિવ્યાંગ બાળકો માટે થતી શિક્ષણની પ્રવૃતિઓ અને શૈક્ષણિક કાર્ય બદલ પ્રફુલભાઈ પાનસેરીયાએ સંસ્થાના પ્રમુખ પુજાબેન પટેલને અભિનંદન પાઠવેલ હતા. તેમની મુલાકાત વેળાએ રાજકોટ 70 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટરો સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, મયુરધ્વજસિંહ જાડેજા, સંસ્થાના ટ્રસ્ટી જયંતીભાઈ સરધારા હાજર રહ્યા હતા.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here