રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ વિતરણ થયું શરૂ

બેંક બહાર લોકોની લાંબી લાઈનો લાગી, ઘર માટે કોરોના ભુલાયો

રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આજે આ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ૪૫૦૦ જેટલા ફોર્મ ઉપડ્યા છે. આજે બેંકની બહાર ફોર્મ મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈન લગાવી હતી. કોરોનાકાળમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળ્યો કરતા દ્રશ્યો જોવા મળ્યાં હતા. તેમજ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતગર્ત આવાસ માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મ મનપાના ૬ સિવિક સેન્ટર અને આઈસીઆઈસીઆઈ બેંકની શાખાઓ ખાતે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરી સુધીમાં ફોર્મ મેળવી પરત કરવાના રહેશે.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૪૪ આવાસ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ બનનારા ૧૧૪૪ આવાસ માટે ફોર્મ મેળવવા બેંક બહાર લોકો ઉમટી પડ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેક્નોલોજીના આધારે કરવામાં આવશે, જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.૧.૫ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.૪.૦૦ લાખની વિશેષ ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ઈઉજી-ૈૈંં (૪૦.૦૦ચો.મી.) પ્રકારનાં ૧૧૪૪ આવાસ (ય્+૧૩)નું નિર્માણ કરવામાં આવશે.