૧૧ ધારાસભ્યો પાર્ટી છોડશે તેવો બિહાર કોંગ્રેસ નેતા ભરત સિંહનો દાવો

ભરત સિંહના નિવેદનને કોંગ્રેસ હાઇકમાન્ડે ફગાવ્યું

બિહારની રાજનીતિમાં એક નવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહાર કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરત સિંહ દાવો કર્યો છે કે કૉંગ્રેસના ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. તેમણે કહૃાું કે, પાર્ટીમાં જલદી મોટી ફાડ પડશે અને ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડી દેશે. જો કે કૉંગ્રેસ હાઈકમાન્ડે ભરત સિંહના નિવેદનને ફગાવી દીધું છે.

કૉંગ્રેસ નેતા ભરત સિંહે કહૃાું કે, ૧૯ ધારાસભ્યોમાંથી ૧૧ ધારાસભ્યો એવા છે જે કૉંગ્રેસ પાર્ટીથી નથી, પરંતુ ચૂંટણી જીતી ગયા છે. આ લોકોએ પૈસા આપીને ટિકિટ ખરીદી અને ધારાસભ્ય બની ગયા. સંખ્યાબળથી પોતાને મજબૂત કરવા માટે એનડીએ કાર્યરત છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજીત શર્મા પણ આવા લોકોમાં સામેલ છે, જે પાર્ટી તોડવા ઇચ્છે છે.

કૉંગ્રેસ નેતા ભરત સિંહે આરોપ લગાવ્યો કે, જે ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડવા ઇચ્છે છે તે તમામના માર્ગદર્શક કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, રાજ્યસભા સાંસદૃ અખિલેશ પ્રસાદ સિંહે અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા સદાનંદ સિંહે છે. રાજ્યપાલ કોટાથી અત્યારે એમએલસીનું નૉમિનેશન થવાનું છે. સદાનંદ સિંહ અને મદન મોહન ઝા એમએલસી બનવાની ફિરાકમાં છે.

કૉંગ્રેસ નેતા ભરત સિંહે કહૃાું કે, હું શરૂઆતથી જ કૉંગ્રેસના આરજેડીની સાથે ગઠબંધનની વિરુદ્ધ છું. અનેક વર્ષોથી મે આરજેડીની સાથે ગઠબંધનનો વિરોધ કર્યો છે. તેમણે કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ, કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા સદાનંદ સિંહ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે.

શક્તિસિંહ ગોહિલની બિહારના પ્રભારથી મુક્ત કરાયા

આ પહેલા બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે કૉંગ્રેસ હાઈકમાન્ડને અપીલ કરી હતી કે તેમને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. ત્યારબાદ કૉંગ્રેસ હાઈકમાન્ડે શક્તિ સિંહ ગોહિલને બિહારના પ્રભારથી મુક્ત કરી દીધા હતા. પાર્ટી તરફથી જાહેર કરાયેલા પત્ર અનુસાર ગોહિલની જગ્યાએ ભક્તમ ચરણ દાસને બિહારના કૉંગ્રેસ પ્રભારી બનાવ્યા છે.