દવા કંપનીઓ પાસેથી ‘ફાયદો’ મેળવનાર ડોકટરનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થશે : વર્કશોપ-કોન્‍ફરન્‍સ-સેમિનારમાં જવા ઉપર પણ પ્રતિબંધ

દવા કંપનીઓ પાસેથી ‘ફાયદો' મેળવનાર ડોકટરનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થશે : વર્કશોપ-કોન્‍ફરન્‍સ-સેમિનારમાં જવા ઉપર પણ પ્રતિબંધ
દવા કંપનીઓ પાસેથી ‘ફાયદો' મેળવનાર ડોકટરનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થશે : વર્કશોપ-કોન્‍ફરન્‍સ-સેમિનારમાં જવા ઉપર પણ પ્રતિબંધ
મેડિકલ કોન્‍ફરન્‍સના બહાને ફાઈવ સ્‍ટાર હોટેલોમાં કોકટેલ ડિનર કદાચ ભૂતકાળ બની જશે. નેશનલ મેડિકલ કમિશનએ ડોક્‍ટરો માટે નિયમો કડક બનાવ્‍યા છે. ફાર્મા કંપનીઓ અથવા સંબંધિત આરોગ્‍ય ક્ષેત્ર દ્વારા પ્રત્‍યક્ષ કે આડકતરી રીતે પ્રાયોજિત હોય તેવા કોઈપણ સેમિનાર, વર્કશોપ અથવા કોન્‍ફરન્‍સમાં ડોક્‍ટર્સ ભાગ લેશે નહીં. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર, ડોકટરોનું લાઇસન્‍સ ત્રણ મહિના સુધી સસ્‍પેન્‍ડ કરી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

NMCના નવા પ્રોફેશનલ કંડક્‍ટ રેગ્‍યુલેશન્‍સની કલમ ૩૫ પણ ડોક્‍ટરો અને તેમના પરિવારોને ફાર્મ કંપનીઓ અથવા તેમના પ્રતિનિધિઓ પાસેથી કન્‍સલ્‍ટન્‍સી ફી અથવા માનદ વેતન લેવા પર પ્રતિબંધ મૂકે છે. નવા નિયમો હેઠળ ડોક્‍ટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરવામાં આવી છે. ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશનએ તેનો વિરોધ કર્યો છે. આરોગ્‍ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે આ અંગે બેઠક બોલાવી છે. જાણો, ડોક્‍ટરો પર ફાર્માસ્‍યુટિકલ કંપનીઓનો પ્રભાવ ઓછો કરવા માટે કયા નિયમો બનાવવામાં આવ્‍યા છે.નવા નિયમો ડોકટરોને ‘કોમર્શિયલ હેલ્‍થકેર સંસ્‍થાઓ, મેડિકલ ડિવાઇસ કંપનીઓ અથવા કોર્પોરેટ હોસ્‍પિટલોમાંથી કોઈપણ બહાને’ કન્‍સલ્‍ટન્‍સી ફી અથવા માનદ વેતન લેવા પર પ્રતિબંધ મૂકે છે.

મેડિકલ કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાએ ૨૦૧૦ માં ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ તરફથી ડોકટરો અને તેમના પરિવારોને ભેટ, મુસાફરી સુવિધાઓ અથવા આતિથ્‍ય પર પ્રતિબંધ મૂક્‍યો હતો. આ પછી, ફાર્માસ્‍યુટિકલ કંપનીઓએ ઘણા ડોકટરો સાથે કરાર કર્યા કે તેઓ લેક્‍ચર આપશે અને વર્કશોપ કરશે. ડોકટરો આ આવક જાહેર કરતા હતા. ઘણી કોર્પોરેટ હોસ્‍પિટલોએ પણ દર્દીઓને રીફર કરવા માટે ડોકટરો સાથે જોડાણ કર્યું હતું અને તેને ‘સુવિધા ફી’ કહીને તેના માટે ચૂકવણી કરી હતી.

Read About Weather here

ઘણા ડોકટરો ફાર્મા અને મેડિકલ ડિવાઈસ ઈક્‍વિપમેન્‍ટ કંપનીઓની આ ‘કન્‍સલ્‍ટન્‍સી’ દ્વારા અને આવી ‘સુવિધા’ ફી દ્વારા તેમના પગાર કરતાં વધુ કમાણી કરે છે.નવા કરારે આ છટકબારી દૂર કરી હોવાનું જણાય છે. ડોકટરો હવે આ વ્‍યાપારી સંસ્‍થાઓ પાસેથી આ સંસ્‍થાઓના કર્મચારીઓ તરીકે પગાર અને લાભોના રૂપમાં જ પૈસા મેળવી શકશે.નવા નિયમો ડોકટરોને હિતોના સંઘર્ષની કાળજી લેવા કહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here