જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો પુન:પ્રારંભ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો પુન:પ્રારંભ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો પુન:પ્રારંભ
જામનગર શહેરના રસ્તે રઝળતા ઢોરની સમસ્યા ખૂબ જ વધી ગયા પછી તેમજ અનેક ફરિયાદો ઉઠ્યા પછી આખરે આજથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અને શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ પહેરા હેઠળ અલગ અલગ બે ટીમોને દોડતી કરવામાં આવી છે.જે તમામ ઢોરને પકડી લીધા પછી તેઓને અમદાવાદની પાંજરાપોળમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ૧,૪૦૦થી વધુ ઢોર એકત્ર કરીને રાખવામાં આવ્યા છે. જે તમામને પણ અમદાવાદની ગૌશાળામાં મોકલવાનો પ્રારંભ થઈ રહ્યો છે.શહેરના પંચેશ્વર ટાવર વિસ્તાર, હવાઈ ચોક, ખંભાળિયા ગેઇટ, રણજીત રોડ, શાકમાર્કેટ વિસ્તાર, ઉપરાંત પંડિત નહેરૂ માર્ગ, શરૂ સેક્શન રોડ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઢોર માર્ગો પર આવી જતા હોવાથી વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે.

Read About Weather here

તે અંગેની અનેકવિધ રજૂઆતો મહાનગરપાલિકાને મળી છે. જેના અનુસંધાને ઢોર પકડવાની કામગીરીનો આજથી પૂન: પ્રારંભ કરવામાં આવ્યો છે.જે કામગીરી દરમિયાન ઢોર માલિકો સાથે સંઘર્ષ ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, અને પોલીસ પહેરા હેઠળ સમગ્ર કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here