પોરબંદરને વધુમાં વધુ ટ્રેન સુવિધા આપવા સાંસદ ધડુક સક્રિય

પોરબંદરને વધુમાં વધુ ટ્રેન સુવિધા આપવા સાંસદ ધડુક સક્રિય
પોરબંદરને વધુમાં વધુ ટ્રેન સુવિધા આપવા સાંસદ ધડુક સક્રિય

દિલ્હી કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિનીકુમાર સાથે રૂબરૂ મળી જરૂરી ટ્રેનો વહેલી તકે શરૂ થાય તે માટે કરી ભલામણ

પોરબંદરથી વધુમાં વધુ ટ્રેનો દોડે તે માટે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા દિલ્હી કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિનીકુમાર સાથે રૂબરૂ મળી જરૂરી ટ્રેનો વહેલી તકે શરૂ થાય તે માટે ભલામણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ એ દિલ્હી કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિનીકુમારજી સાથે રૂબરૂ મુલાકાત કરીમાં જણાવ્યું હતું કે, પોરબંદર વિસ્તારના લોકોની મુસાફરીની સગવડતા માટે પોરબંદરથી અમદાવાદ (વાયા જેતલસર) ‘કસ્તુરબા ગાંધી એક્ષપ્રેસ’ નામની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ જેમાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સ્ટોપ આપવા આવે. પોરબંદરથી હરિદ્વાર સુધીની ‘સુદામા એક્ષપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે જેથી સૌરાષ્ટ્રના લોકોની હરિદ્વાર ગંગાજી સાથે ધાર્મિક લાગણીથી જોડાયેલ હોવાથી તેમને ત્યાં જવાની સારી સગવડતા મળી રહે તથા શાપુર, સરાડીયા લાઇનની 2011 માં મંજૂરી મળેલ છે જેને વહેલી તકે કામગીરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી.

Read About Weather here

રાજકોટ વેરાવળ વાંસઝાળિયાથી જેતલસર સાપુર સરાડીયા ફ્રીઝ કરેલ રેલલાઈનને ફરીથી શરૂ કરવા રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રેલમંત્રી અશ્ર્વિનીકુમાર તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here