હવે તા.27 જાન્યુઆરી સુધી સવારની પાળીનો સમય 8 વાગ્યાનો જ રહેશે
રાજકોટ શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનો પારો યથાવત રહેતા પ્રાથમિક-માધ્યમિક શાળાઓનો સવારની શીફટનો સમય સવારના આઠ વાગ્યાનો રાખવાની મુદત તા. 27 જાન્યુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલા દ્વારા લંબાવી દેવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલા દ્વારા આ અંગેનો પરિપત્ર પણ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને મોકલી દેવામાં આવેલ છે. શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલાએ જણાવ્યું હતું કે અઠવાડીયા સુધી હજુ ઠંડીના પ્રમાણમાં વધઘટ થવાની શકયતા રહેલી છે.જેથી બાળકો ઠંડી સામે રક્ષણ આપતા સ્વેટર પહેરીને જ શાળા પર આવે તેવી અપીલ તેઓએ કરી શાળા સંચાલકોને સવારના આઠ વાગ્યા પહેલા શાળાઓ શરૂ નહીં કરવા તાકીદ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here