મુંબઈના અંધેરીમાં શુક્રવાર, 29 જુલાઈની સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી હતી. ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક તથા થર્મોકોલથી સેટ બનાવવામાં આવ્યો હતો અને આ જ કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. લવ રંજનના સેટની બાજુમાં જ આવેલા અન્ય સેટ પર સની દેઓલનો બીજો દીકરો રાજવીર શૂટિંગ કરતો હતો. સદનસીબે આ સેટ પર કોઈ જાનહાનિ થઈ નહોતી.અંધેરીના લિંક રોડ સ્થિત ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર લવ રંજનની અપકમિંગ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
લવ રંજનની આ ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર કામ કરી રહ્યા છે. અહીંયા રણબીર તથા શ્રદ્ધા કપૂર આઠથી નવ દિવસ સુધી ગીતનું શૂટિંગ કરવાના હતા.ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં લાગેલી આગને કારણે આસપાસની બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ જ કારણે આસપાસની બિલ્ડિંગના લોકોને બારી-દરવાજા બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી.ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં જ્યારે આગ લાગી ત્યારે ફિલ્મની સ્ટાર-કાસ્ટ હાજર નહોતી.
Read About Weather here
સેટ પર કોઈ જાનહાનિ થઈ નથી.લવ રંજનના જે સેટ પર આગી લાગી તેની બાજુમાં રાજશ્રી પ્રોડક્શનના બે સેટ હતા. અહીંયા સની દેઓલનો પુત્ર તથા એક્ટર રાજવીર શૂટિંગ કરતો હતો. આગ એટલી ભીષણ હતી કે આ સેટ સુધી આગ પ્રસરી હતી. ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે દાવો કર્યો હતો કે ચિત્રકૂટ ગ્રાઉન્ડને ગેરકાયદેસર રીતે લગ્ન તથા ફિલ્મના સેટ માટે ભાડે આપવામાં આવે છે.જોકે, અહીંયા પણ કોઈને ઈજા થઈ નથી. ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે પડતું મૂકીને કાસ્ટ તથા ક્રૂને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here