‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના…’ : સંજુબાબા

'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના...' : સંજુબાબા
'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના...' : સંજુબાબા
સંજુબાબાએ સો.મીડિયામાં ફિલ્મને મળેલા નબળા પ્રતિસાદ અંગે એક લાંબી નોટ લખી છે. ફિલ્મમેકર કરન મલ્હોત્રાની ફિલ્મ ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.  સંજયે લખ્યું છે કે ક્યારેક તો ફિલ્મને પોતાની ઓડિયન્સ મળી જ રહેશે. આ સાથે જ સંજયે ‘શમશેરા’ને પોતાની ફિલ્મ ગણાવી છે.સંજય દત્તે કહ્યું હતું, ‘આ ફિલ્મ લોહી-પરસેવા તથા આંસુઓથી બની છે. આ એક સપનું હતું અને અમે સ્ક્રીન પર તેને સાકાર કર્યું છે. ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે અને દરેક ફિલ્મને ક્યારેક ને ક્યારેક તો પોતાની ઓડિયન્સ મળી જ જાય છે. ‘શમશેરા’ને અનેક લોકોએ વખોડી છે. કેટલાંક લોકો ફિલ્મ જોયા વગર જ ગમેતેમ બોલે છે.
'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના...' : સંજુબાબા સંજુબાબા
'કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહના...' : સંજુબાબા સંજુબાબા

Visit Saurashtra Kranti Homepage here

મને એ જાણીને દુઃખ થયું કે લોકો તમારી મહેનતને માન પણ આપતા નથી.’સંજય દત્તે ફિલ્મના ડિરેક્ટર કરનના વખાણ કરતાં કહ્યું, ‘હું ફિલ્મમમેકર કરનનો ઘણો જ મોટો ચાહક છું. છેલ્લાં ચાર દાયકાની કરિયરમાં મેં જેટલા પણ ડિરેક્ટર્સ સાથે કામ કર્યું, તેમાંથી કરન સૌથી બેસ્ટ છે. કરન મારા પરિવાર જેવો છે. તેની સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત હોય છે. હું હંમેશાં તેની સાથે ઊભો રહીશ.’ફિલ્મ રિલીઝ થયા બાદ ચાહકોએ રણબીર કપૂરની ટીકા કરી હતી. આ અંગે એક્ટરે કહ્યું હતું, ‘મને આ જોઈને આંચકો લાગ્યો કે કેવી રીતે લોકો અમારા સમયના સૌથી હાર્ડ વર્કિંગ તથા ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એકના કામની ટીકા કરવામાં ઉત્સુક છે.

અમારા માટે નફરત ને ટીકા કરતાં વધારે આર્ટ ને કમિટમેન્ટ્સ મહત્ત્વના છે. જે પ્રેમ અમે ફિલ્મ તથા તેની સાથે જોડાયેલા લોકો માટે ફીલ કરીએ છીએ તે આ તમામ બાબતથી પર છે.’ છેલ્લે સંજય દત્તે કહ્યું હતું, ‘બાકી કુછ તો લોગ કહેંગ, લોગો કા કામ હૈ કહના…’કરને ફિલ્મને મળેલી નફરત અંગે રિએક્શન આપતાં કહ્યું હતું, ‘મારો ‘શમશેરા’ તું એવો જ રાજસી ને આલીશાન છે. આ પ્લેટફોર્મ પર પોતાને એક્સપ્રેસ કરવું ઘણું જ મહત્ત્વનું છે, કારણ કે અહીંયા તમને પ્રેમ, નફરત, સેલિબ્રેશન તથા અપમાન બધું જ મળશે.

Read About Weather here

‘રણબીર કપૂરે ફિલ્મ ‘શમશેરા’થી ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત-રણબીર ઉપરાંત વાણી કપૂર, રોનિત રોય, સૌરભ શુક્લા પણ છે. આ ફિલ્મ 150 કરોડના બજેટમાં બની છે. 22 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 36 કરોડની કમાણી કરી છે. હું માફી માગું છું, કારણ કે હું નફરત ને ગુસ્સાને સંભાળી શક્યો નહીં. મારું કમબેક મારી જ નબળાઈ હતી અને તે માટે હું કોઈ બહાનાબાજી કરીશ નહીં. ‘શમશેરા’ મારું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here