રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર સર્કલ પાસે ગત રાત્રે દસેક વાગ્યા આસપાસ બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી બસે સ્કુટર સવાર એક યુવાનને હડફેટે લેતા મોત નિપજયું હતું. મૃતકના સ્નેહીજનો પાસેથી જાણવા મળેલ કે મૃતકના પિતા હયાત નથી આ યુવાન જ ઘરનો આધારસ્તંભ હતો. બનાવ વખતે વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કીર બસના કાચ ફોડયા હતા. જેથી પોલીસ દોડી ગઇ હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દિનેશ ઉર્ફે ઋત્વીક નટુભાઇ દાફડા (ઉ.વ.23) નામનો વણકર યુવાન 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહે છે. તે કારખાનામાં મજુરીનું કામ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
ગઇકાલે તે એકસેસ સ્કુટર પર થઇ રહ્યો હતો ત્યારે આંબેડકરનગર સર્કલ પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસે દિનેશને સ્કુટર સાથે હડફેટે લઇ ફંગોળી દેતા બસની જોરદાર ટકકરથી દિનેશ રોડ પર ફંગોળાઇ ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કોઇએ તેના મિત્ર હિરેનભાઇને જાણ કરતા તેઓ અને મૃતકના સગા-સંબંધીઓ તેમજ પરિવારના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત દિનેશને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
Read About Weather here
બીજી તરફ બીઆરટીએસ બસે અકસ્માત સર્જતા ત્યાં અનેક લોકો એકત્ર થઇ ગયા હતા અને વિફરેલા લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી માલવીયાનગર પોલીસનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચની ટીમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ તરફ માલવીયાનગર પોલીસના પી.આઇ. કે.એન.ભુકણ સહિતના સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને બીઆરટીએસ બસના ચાલક સામે ફરીયાદ નોંધવા તજવીજ કરી હતી. અકસ્માતની ઘટના બાદ વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરતા પોલીસ દોડી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here