એમસીએના અભ્યાસ માટે તેને વિદેશ મોકલવાના હતા પરંતુ વિદ્યાર્થીએ વિદેશ જવાની ના પાડતા વડોદરા ખાતે અભ્યાસ માટે મોકલવાનું નક્કી થયું હતું. પરિવારથી દૂર અભ્યાસ માટે જવાની ઈચ્છા ન હોવાથી બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દરમિયાન પરિવાથી દૂર રહેવાનું થતા વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.ન્યુ રાંદેર રોડ આરીષ સોસાયટી ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ ગોગળવાલા નિવૃત્ત શિક્ષક છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમનો 22 વર્ષીય પુત્ર આત્મીય બીસીએનો અભ્યાસ પુર્ણ કરી આગળ એમસીએનો અભ્યાસ કરવાનો હતો. એમસીએના અભ્યાસ માટે પરિવાર આત્મીયને વિદેશ મોકલવાના હતા. જોકે પરિવારથી ક્યારેય અલગ ન રહેલા આત્મીયને પરિવારથી દુર રહેવું ન હોવાથી વિદેશમાં અભ્યાસ માટે જવાનું મોકુફ રાખ્યું હતું.ત્યારબાદ તેનું વડોદરા ખાતે એમસીએના અભ્યાસ માટે જવાનું નક્કી થયું હતું. જેથી પરિવારથી દુર રહેવાનું થતા આત્મીય ટેન્શનમાં હતો.
Read About Weather here
રવિવારે સાંજે પરિવારના સભ્યો બહાર ગયા હતા. ત્યારે આત્મીયએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. પરિવાર પરત ઘરે આવ્યો ત્યારે આત્મીયને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યો હતો. તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જેમાં પરિવારથી દૂર અભ્યાસ માટે જવાનું થતા અાત્મીયએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે રાંદેર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતા રાંદેર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here