વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા

વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા
વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા

રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ આત્મહત્યા કરી લીધી હતી. 23 વર્ષીય એક્ટ્રેસની લાશ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી ભાડેના ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. જોકે પોલીસને હજી સુધી આત્મહત્યાનાં ચોક્કસ કારણોની જાણ થઈ નથી. પોલીસે અસામાન્ય મોતનો કેસ દાખલ કર્યો છે. રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીના મોત માટે સંતોષ પાત્રા જવાબદાર છે.

Visit Saurashtra Kranti Homepage here

રશ્મિરેખા પ્રેમી સંતોષ સાથે લિવ-ઇનમાં રહેતી હતીરિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે 23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મોત થયું હતું. તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેઓ કેસની તપાસ કરે છે.મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી.

Read About Weather here

શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી. સૂત્રોના મતે, રશ્મિરેખા ઓજિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. તે અહીં છેલ્લા દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને ટીવી સિરિયલ ‘કેમિતિ કહિબી કહા’ના રોલ માટે જાણીતી બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here