એ.પી.એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં નવનિર્મિત ક્ધયા છાત્રાલયનું લોકાર્પણ, ગોવિંદભાઈ ખુંટ અમૃત મહોત્સવ અભિવાદન અને જીવન અંજલિ થાજો સ્મરણિક વિમોચન આગામી તા.19 ને રવિવારે સાંજના 4:30 કલાકે ટોપલેન્ડ વિદ્યાભવન, એસ્ટ્રોન સોસાયટી, અમિન માર્ગ આયોજન કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
સંસ્થાનાં ખાતમુહૂર્ત નિમિતે અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાનાં તત્કાલીન ઉપાધ્યક્ષ અને સમાજનાં અગ્રણી રમણીકભાઈ ધામી આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે પધારેલ. કેળવણી અને સમાજ સુધારાનાં સંવાહક, આજીવન ઉપાસક આંબાભાઈ નાથાભાઈ પટેલ, જેતપુર તથા કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર તત્કાલીન યુવાન ઉદ્યોગપતિ અને વક્તા વજુભાઈ ગોકળભાઈ માવાણી હવે આપણી વચ્ચે નથી. તેઓનું પણ સ્મરણ કરીએ અને આ ખાતમુહૂર્ત કુ.નિશા જાગાભાઈ ખુંટનાં હસ્તે સંપન્ન થયેલ તેમ જણાવ્યું હતું.ઈ.સ. 1984 ની સાલમાં એ.પી.પટેલ ક્ધયા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી.
Read About Weather here
આ છાત્રાલયમાં એક હજારથી વધુ હાલ વિદ્યાર્થીની સંખ્યા છે.શહેર તથા ગ્રામ્યમાં રહેતી છાત્રા અહીં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે- સાથે છાત્રાનાં સર્વાંગી વિકાસ માટે એનસીસી, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્કાઉડ ગાઈડ વગેરે એક્ટીવીટી કરાવવામાં આવે છે તથા 3 વિદ્યાર્થીઓએ ફાયરીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ છાત્રાલયમાં 216 રૂમ અને બે હજાર દીકરીઓને રહેવાની વ્યવસ્થા છે. ક્ધયા છાત્રાલયની દીકરીઓને શહેરની અન્ય સ્કૂલોમાં ચાલીને ભણવા જવું ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા શાળા શરૂ કરવાની મંજૂરી મેળવી હતી.આ શાળાનો બારદાનવાલા ક્ધયા વિદ્યાલયનાં નામે પ્રારંભ થયો હતો. આ વર્ષ 90 ટકા એચએસસીની રીઝલ્ટ આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here