રાજકોટ આજે ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે,ફાયર NOC ની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો વીજ કનેક્શન કપાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ઇન્કમટેકસ વિભાગ દ્વારા આજે અમારી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
કારણ કે આ બિલ્ડીંગ ખૂબ જ જૂનું છું. ત્યારે જૂના અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તો ખાસ ફાયરના સાધનો હોવા જરૂરી છે. હાલ ઇન્કમટેકસ વિભાગ દ્વારા ફાયરના નવા સાધનોનું ઈન્સ્ટોલેશન કરવામાં આવનાર છે. માટે કેવા સાધનો લઈ શકાય અને તેને બિલ્ડિંગના કયા ભાગમાં ફીટ કરી શકાય એ અંગે અમારું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. તેથી અમે અહીં આવ્યા હતા.
Read About Weather here
હાલ અમારી પાસે કોઈ શાળા કોલેજ હોસ્પિટલનું લિસ્ટ નથી. જ્યાં ફાયરના સાધનોનો અભાવ હોય પરંતુ જેવી અમારી પાસે માહિતી મળશે એ સાથે જ અમે ત્યાં ચેકિંગ કરશું અને જો સાધનો નહીં હોય તો અમે નોટિસ ફટકારીશું. નોટિસ પાઠવ્યા બાદ પણ કાર્યવાહી નહીં કરાય તો પાણી તેમજ વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here