હાઉસીંગ સોસાયટીએ પણ સ્વીકાર્યું કે સદગુરૂ રણછોડ નગરમાં થયેલ બાંધકામ ગેરકાયદેસર છે: નોટીસ અપાઇ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામની ચર્ચાઓ શહેરભરમાં થઇ રહી છે. ત્યારે આ બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં પણ તંત્ર દ્વારા નોટીસ પાઠવી ખાલી સંતોષ માની લેવામાં આવ્યો છે. કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે એ બાંધકામ ગેરકાયદેસર છે તે વિષયમાં શ્રી સદગુરૂ રણછોડનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લી.વિભાગ-1 રાજકોટ દ્વારા નોટીસ પાઠવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જે નોટીસમાં જણાવાયું છે કે, રહેણાંક મકાનનો બાંધકામ પ્લાન તૈયાર કરાવી સોસાયટીની સહી સિક્કો કરાવેલ છે. પરંતુ હાલ સ્થાનિકે આપના તરફથી સોસાયટીને આપેલ પ્લાન વિરૂધ્ધ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તે બાબતે સોસાયટીને દિવસ-7માં લેખીત ખુલાસો કરશો. હવે તો સોસાયટીએ પણ સ્વીકારી લીધુ કે બાંધકામ ગેરકાયદેસર છે પરંતુ તંત્ર દ્વારા હજુ કોઇ પગલા લેવાયા નથી. રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે. એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય છે કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે.

લાગતા વળગતા વિભાગના અમુક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે. તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે. સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા અને ટીપી અધિકારીની સાંઠગાંઠ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મનપા કમિશનર અને ટીપીના અધિકારીઓ ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં કોઇ એક્શન ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેમ છે અને જાગૃત નાગીરક દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્ે પીટીશન દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં જો આ બાંધકામ સામે પીટીશન દાખલ કરાશે તો બાંધકામ કરનાર બિલ્ડર, ટીપીના સામેલ અધિકારીઓ, અને નેતા તથા નજીકના હોદેદારો સહિતના નામ ખુલશે અને તપેલા ચડી જાય તો પણ નવાઇ નહીં.

ટીપી શાખા દ્વારા હંમેશા જે કોઈ કાર્યવાહી થાય છે એ મોટાભાગે ગરીબોના ઝુંપડા તોડવાની કાર્યવાહી જ હોય છે. વગદાર યા તો વહીવટ કરવામાં કાબેલ અથવા તો મનપામાં ચોકકસ જગ્યાએ સંપર્કના પ્લગ ભરાવીને ધાર્યું કરાવી શકતા લોકોના બાંધકામો ગમે તેટલા ગેરકાયદે હોય ત્યાં સુધી ટીપી શાખાના કહેવાતા લાંબા હાથ પહોંચતા નથી અને ભૂલેચુકે પહોંચી પણ જાય તો તે લાંબા હાથને પાછા વાળી લેવામાં આવતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, મોટી વગ ધરાવતા રાજકીય નેતા જ્યાં- જ્યાં મુખ્ય સૂત્રધાર હોય ત્યાંના ગેરકાયદે બાંધકામ તોડવાના ટીપી શાખા આગળ વધતી નથી અને માત્ર કાગળ પર રેકર્ડ રાખવા નોટીસો ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. એવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.

Read About Weather here

ઘણીવખત લોકો એવું માનવા લાગ્યા છે કે, શક્તિશાળી ટીપી શાખા ત્રણેય ઝોનમાં ગરીબ અને નબળા વર્ગના ઝુંપડા તોડી પડાય છે પરંતુ મોટા માથાઓના કે રાજકીય વગ ધરાવનારાઓના ગેરકાયદે બાંધકામો તોડવામાં કોઈ આગળની કાર્યવાહી કરાતી નથી. આવા બાંધકામ કરનારાઓ સુધી નોટીસો પહોંચે છે પણ બુલડોઝર પહોંચતા નથી. એ લોકોએ સામાકાંઠે રણછોડનગર સદ્દગુરૂ-2માં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયા છે અને થઇ રહ્યા છે છતાં નોટીસ સિવાય કોઈ કાર્યવાહી થઇ નથી.નોટીસ અને વિજીલન્સ તપાસનાં આદેશ છતાંય આર્શ્ર્ચજનક રીતે અવિરત ગેરકાયદે બાંધકામો ખડા કરવામાં આવી રહ્યા છે. કોઈ મોટી રાજકીય વગને કારણે જ આવું શક્ય બને એવી લોકોમાં જોરશોરથી ચર્ચા છે. સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ એક કોર્પોરેટરની ભુંડી ભુમીકા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ગરીબોના ઝુંપડા તોડી પાડવા માહિર તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા વાંધો શું?? ભારે ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here