ભુતિયા નળ કનેકશન લઇ પાણીનો બેફાટ વપરાશ…??

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેરમાં લોકો પાણીનો બિનજરૂરી વેડફાટ કરતાં હોવાનું મનપાના કમિશનરે ઘ્યાનમાં આવતાં તેઓ દ્વારા ઉનાળામાં પાણીના વપરાશ મામલે કડક નિર્ણય લીધો છે.હવે શહેરમાં જે કોઈ પણ પાણીનો બગાડ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ઘરની બહાર ફળિયા ધોશો તો 500 રૂપિયાનો દંડ થશે.આ સાથે કમિશનરે જણાવ્યું કે, જે લોકો પાણીનો મોટા પ્રમાણમાં બગાડ કરશે તો 2000નો દંડ ફટકારાશે. બિનજરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ. કોર્પોરેશને પાણીનો વેડફાટ કરનારા સામે આકરા દંડની જોગવાઈ કરી છે. અને તેના માટે વોર્ડ વાઈઝ ટીમો બનાવી છે. જળજથ્થો બચાવવાની જરૂર અને જવાબદારી સમજીને કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમને ફિલ્ડમાં ઉતાર્યા છે. જેઓને પાણીચોરી અને બગાડ રોકવા જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તે ટીમો ક્યાંકને ક્યાંક વામળી સાબિત થતી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે.આજીડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી. રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે! પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે.

જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે. કારખાના ધારકો કારખાનામાં ગેરકાયદે ભઠ્ઠીઓ ચલાવે છે.કોર્પોરેશનની પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર કનેકશન લઇને 24 કલાક મફતમાં પાણી વાપરે છે અને આગળ જરૂરીયાતમંદ સુધી પાણી પહોચી શકતું નથી. તંત્રને ટીમો મુકાવીને તપાસ કરાવવાી જોઇએ અને ભુતિયા નળ કનેકશન ધરાવતા કારખાનાઓને દંડ ફટકારી કનેકશન રદ કરવુ જોઇએ. લાઇનની નીચેથી કનેકશન લઇને બેફામ પાણી ચોરી કરે છે અને કોર્પોરેશન તંત્ર કંઇ કરી શકતુ પણ નથી.

Read About Weather here

આમ જનતાને દંડ આપતી કોર્પોરેશનની ટીમોએ જે ખરેખર પાણીચોરી કરે છે તેને દંડ આપીને પોતાનું કામ દેખાડવું જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.પશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલિક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે.આ ઉપરાંત ગેરકાયદેસર કારખાનાઓ અનેક ગણુ વિસ્તારમાં પ્રદુષણ ઓકી રહ્યા છે તો આ અંગે પોલ્યુશન બોર્ડ શું અજાણ હશે? તે અંગે પણ પ્રશ્ર્ન સર્જાઇ રહ્યો છે. શું પોલ્યુશન બોર્ડની આ કારખાનો વાળા સાથે કંઇ સાઠગાઠ હશે તે પ્રશ્ર્ન પણ થયા વિના અહીંયા રહેતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here