ફક્ત બેંકિંગ જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પ્રાણી પ્રેમ અને જીવદયા અભિગમ સાથેના કાર્યનો વધુ એક પ્રયાસ કરાયેલ છે.વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંકની જુનાગઢ શાખા દ્વારા સાસણમાં આવેલ પ્લાઝમાં એજયુકેશનને ધિરાણ કરવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
થોડા સમય બાદ આ ખાતુ એન.પી.એ. થયું હતું અને કલેકટરના હુકમથી ડિફોલ્ટરની તે મિલકતનો કબજો રાજકોટ નાગરિક સહકારી બેંકને સોંપાયેલ હતો.બેંકે આ મિલકતના વેચાણની કાર્યવાહી હાથ ધરી હતી અને તે કાર્યવાહીના અંતિમ દોરમાં મિલકતના સ્થળે જતાં બહારની બાજુએ દિપડીના પગલાની છાપ જોવા મળી હતી. આથી ઉપસ્થીત અધિકારીઓ ચિંતા, ડર સાથે સાવચેત બન્યા હતા.
Read About Weather here
ધીમે-ધીમે આગળ વધતાં મિલકતની અંદરની બાજુએ દિપડીના બે બચ્ચા જોવા મળ્યાં હતાં.બેંકે તુરત જ મિલકત વેચાણની કાર્યવાહી અટકાવી, દિપડીના બે બચ્ચાને સહી સલામત રીતે જંગલમાં મુકવા માટે વન વિભાગમાં જાણ કરી હતી. સત્વરે સ્થળ આવી દિપડીના એક માસના બે બચ્ચાને અને થોડા જ સમયમાં દિપડીને પણ માવજત સાથે રેસ્કયુ કર્યા હતા.આ તકે વન વિભાગે બેંકના પ્રાણી પ્રેમનાં કાર્યની પ્રશંસા કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here