પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સીમલા ખાતેથી જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને સહાય વિતરણના રાષ્ટ્રવ્યાપી ‘ગરીબ કલ્યાણ સંમેલન’ સંદર્ભે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિમ ખાતે રાજકોટ જિલ્લાનું ગરીબ કલ્યાણ સંમેલન મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારે આ પ્રસંગે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત છેવાડાના માનવીને મહત્તમ લાભો મળી શકે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યાન્વિત બનાવાઈ છે, જેના અમલીકરણથી સમગ્ર રાષ્ટ્ર વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે.
Read About Weather here
ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેમના હિસ્સાના તમામ લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.વિવિધ લાભાર્થીઓને ચેક તેમજ કીટનું વિતરણ તથા આઈ.સી.ડી.એસ. યોજનાના નિમણુંક પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1000 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here