તમે આ મકાનમાંથી નીકળી જાઓ’ તેમ કહી ગાળો બોલી પુત્ર માતા-પિતાને ગડદાપાટુનો માર અને ચપ્પાના ઘા મારી ભાગ્યો હતો. સરખેજમાં ‘તમારા કારણે મારી પત્ની રીસાઇને જતી રહી છે આ બનાવ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
સરખેજના વણઝરગામમાં 56 વર્ષીય ભાનુબેન કાળાભાઇ સેનવા પરિવાર સાથે રહે છે. ગઇકાલે તેમનો 42 વર્ષીય પુત્ર સુરેશ ઘરે આવ્યો હતો અને માતા ભાનુબેન અને પિતા કાળુભાઇને કહ્યું હતું કે, તમારા કારણે મારી પત્ની રિસાઇને પિયર જતી રહી છે, તમે લોકો આ મકાનમાંથી નીકળી જાઓ. આ સાંભળીને ભાનુબેને કહ્યું હતું કે, અમે શું કામ આ મકાનમાંથી નીકળીએ તારે અલગ રહેવા જવું હોય તો જતો રહે.
Read About Weather here
માતાની વાત સાંભળી સુરેશ ગાળો બોલવા લાગ્યો હતો અને ચપ્પુ વડે માતાના હાથ પર ઘા ઝીંક્યા હતા. આ અંગે ભાનુબેને સરખેજ પોલીસ સ્ટેશનમાં પુત્ર સુરેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે પિતા કાળુભાઇ વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને પછી ત્યાંથી ભાગી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here