ગત તા. 24ની રાત્રીના માધવદર્શન કોમ્પ્લેક્સમાં એટીએમ તોડી તેમાંથી રોકડની ચોરી કરવાનો પ્રયાસના બનાવમાં નિલમબાગ પોલીસે બાતમીના આધારે રાહિલ ઉસ્માનભાઈ કુરેશી.
Visit Saurashtra Kranti Homepage here
માધવ દર્શન કોમ્પ્લેક્સમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરનારા એક સગીર સહિત બે ઈસમોને નિલમબાગ પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતા આ બંન્નેએ ચિત્રાના મંદિરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત આપતા શહેરના બે પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાઓ ઉકેલાયા છે.એક સગીરને લઈ પુછપરછ કરી હતી પોલીસ પુછપરછ દરમિયાન તેમણે ગત તા. 24ની રાત્રીના માધવદર્શન ખાતે એટીએમને તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને એ જ રાત્રીના ચિત્રા ખાતેના એક મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
Read About Weather here
જે અંગે બોરતળાવ પોલીસ મથકમાં ચિત્રામાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરની દાન પેટીમાંથી રૂ. 9,500 જેટલી રકમની ચોરી થયાં અંગેની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેમની પાસેથી મંદિરમાંથી ચોરેલી રોકડ રકમ રૂ. 9 હજાર તથા બાઈક મળી કુલ રૂ. 49,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ, શહેરના બે પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here