આટકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા રાજકોટ મહાનગરમાંથી 20 હજારથી વધુ જનમેદની ઉમટી પડશે. તેમ ભાજપ અગ્રણી કમલેશ મિરાણીએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા જણાવાયું છે કે આવતીકાલે તા.28 ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આટકોટ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરાના પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાપર્ણ યોજાનાર હોય. રાજકોટ મહાનગર ખાતેથી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.
Read About Weather here
રાજકોટ મહાનગરમાંથી 20 હજારથી વધુ જનમેદની આટકોટ ખાતે અભિવાદન કરવા ઉમટી પડશે. રાજકોટમાંથી વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ બસો, ફોર વ્હીલરો મારફત આટકોટ તરફ રવાના થશે.જનસમુદાયમાં આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે ઉત્સાહ અને ઉમંગની લાગણી પ્રવર્તતી હોય આટકોટ ખાતે વિશાળ સંખ્યામાં જનમેદની નરેન્દ્રભાઈ મોદીને અનેરા ઉત્સાહથી આવકારી અભિવાદન કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here