શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.28ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આટકોટ ખાતે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિસ્ટી હોસ્પિટલનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાનાર હોય, રાજકોટ ખાતેથી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહયો છે.
Visit Saurashtra Kranti Homepage here
મહાનગરમાંથી 20 હજારથી વધુ જનમેદની આટકોટ ખાતે મોદીજીનું અભિવાદન કરવા ઉમટી પડશે.જેની તડામાર તૈયારીઓ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી બસ વ્યવસ્થા તેમજ અન્ય તૈયારીઓ ચાલી રહી હોય શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડાએ જરૂરી માર્ગદર્શન-દિશાસૂચન પુરૂ પાડેલ હતુ.
Read About Weather here
આ તકે કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, નિતીન ભારાજ, અંજલીબેન રૂપાણી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here