ચાહકો જેઠાલાલ તથા દયાભાભીની જોડીને મિસ કરી રહ્યા છે. જોકે હવે ચાહકો માટે સારા સમાચાર છે. અસિત મોદીએ કહ્યું, ‘દિશાબેન હોય કે નિશાબેન, ચાહકોને દયાભાભીનું પાત્ર અચૂકથી જોવા મળશે’ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 2017થી દયાભાભીનું પાત્ર જોવા મળ્યું નથી. સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે દર્શકોને સિરિયલમાં હવે દયાભાભીનું પાત્ર જોવા મળશે.’ઇ ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
![બે મહિના પહેલાં જ સિરિયલમાં દયાભાભી શોમાં પરત ફરશે એવો સંકેત આપવામાં આવ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/24/13_1653372107.jpg)
2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના મીઠા ઝઘડાથી એન્ટરટેઇન કરશે.અસિત મોદીએ આગળ કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે દિશા વાકાણી જ દયાબેન તરીકે પરત ફરશે. ટીમના દિશા વાકાણી સાથે હજી પણ સારા સંબંધો છે. જોકે હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી છે. તેઓ પોતાની જવાબદારીમાં વ્યસ્ત છે. દરેકનું અંગત જીવન હોય છે, તેથી તે આ અંગે કમેન્ટ કરી શકે નહીં, પરંતુ દિશાબેન હોય કે નિશાબેન, ચાહકોને દયાબેન અચૂકથી જોવા મળશે એ નક્કી છે.
![દીકરી સાથે દિશા વાકાણી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/24/12_1653372062.jpg)
Read About Weather here
![પ્રોડ્યુસર અસિત મોદી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/24/11_1653372054.jpeg)
દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી.દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here