આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર તારીખ 14 મે, 2022ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાના સમયે એક બસ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. નોંધનીય છે કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 23 જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
![બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/new-project_1652769702.jpg)
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
Read About Weather here
![અકસ્માતમાં 3 લોકોનાં મોત અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/1652595395_1652769713.jpg)
જોકે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 23 જેટલા લોકો ઘાયલ થયા હતા. જોકે મોડી રાતના આ બનાવના હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસને ટ્રક સાથે ધડાકાભેર અથડાતી જોઇ શકાય છે.બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.
![ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/1652595387_1652769720.jpg)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here