શંકાસ્પદ પદાર્થનું રહસ્ય ઘેરાયું

શંકાસ્પદ પદાર્થનું રહસ્ય ઘેરાયું
શંકાસ્પદ પદાર્થનું રહસ્ય ઘેરાયું
બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતા તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળો પરથી ગોળા જેવો અવકાશી પદાર્થ મળી આવ્યા બાદ આજે ખેડા જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છુટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે.સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રી સમયે મોટા ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. આણંદ જિલ્લા બાદ ગતરાત્રે ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની છે. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગતરાત્રે લગભગ બે અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીંયા ખાબક્યો હતો.‌

Visit Saurashtra Kranti Homepage here

શંકાસ્પદ પદાર્થનું રહસ્ય ઘેરાયું શંકાસ્પદ

મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતા પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્રભાઈ પટેલ ભર ઊંઘમાંથી જાગી ગયા હતા.અને દરવાજો ખોલી જોતા ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. ભયભીત થયેલા મહેન્દ્રભાઈએ તુરંત પોતાના ઘરમાં ઘુસી ગયા હતા. થોડીવાર બાદ પણ અહીંયા આવતા આજ સ્થિતિ હતી.વહેલી સવારે મહેન્દ્રભાઈએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી. આથી સરપંચે ઘટના સ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી. જેથી ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી. અને બીજી બાજુ આ અંગેની જાણ એફએસએલને કરી હતી.

પ્રત્યક્ષદર્શી

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી, ખાનકુવા અને દાગજીપુરા બાદ નડિયાદ નજીક ભુમેલ ગામમાં આવી ઘટનાઓ છેલ્લા બે ચાર દિવસથી અવારનવાર બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ઈસરોની તપાસ બાદ શંકાસ્પદ પદાર્થના રહસ્ય પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકુવા અને દાગજીપૂર માંથી ગુરુવારના બપોરે અવકાશમાંથી પડેલા ગોળાએ જિલ્લામાં કુતુહલ અને ચર્ચાનું ચકડોળ ઉભું કર્યું છે.અચાનક ઉપરાછાપરી પૃથ્વી ઉપર પડેલ આ અવકાશી ઉપકરણ શુ છે ? અને તે કેવા ઉપગ્રહોનો ભંગાર છે કે પછી કોઈ વિદેશી દુશ્મનોની ચાલ આ વિશે નુકકડ ચર્ચાઓએ જિલ્લામાં અફવાઓનું બજાર ગરમ કર્યું છે.આ પરિસ્થિતિની ગંભીરતા સમજતા કલેકટર અને પોલીસ વિભાગે સંયુક્ત કવાયત હાથ ધરી છે.

Read About Weather here

આ અંગે આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ જાહેર જનતાને આ અંગેની કોઈ ખોટી માહિતી કે અફવાઓ અને ગમભરામણી વાતોથી અંતર રાખવા અપીલ કરી છે.આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે ગુરુવારે ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકુવા અને દાગજીપૂરમાં પડેલ અવકાશી પદાર્થ પડ્યો હતો.જે ગોળાકાર આકાર ધરાવતો પદાર્થ 5 થી 6 કિલો વજન ધરાવતો હતો.ચીમનભાઈના ખુલ્લા ખેતરમાં તેમજ અન્ય ખુલ્લી જગાઓમાં પડેલ આ પદાર્થને લઈ કોઈ જાનહાની કે નુકશાની નથી થઈ.જેથી પ્રજાજનોએ કોઈ ગભરાવવાની જરૂર નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગેનું પંચ રોજકામ કરાવી એફ.એસ.એલ ટીમ સાથે વસ્તુની ખાતરી કરવામાં આવી છે તેમજ અમે પી.આર.એલ અને ઇસરોના પણ સંપર્કમાં છીએ. પરંતુ હાલ આ કોઈ વિસ્ફોટક પદાર્થ નથી તેમજ આ કારણે તેનાથી કોઈ નુકશાની થઈ નથી તેથી કોઈ પણ પ્રકારે પ્રજાજનોએ ગભરાવવાની જરૂર નથી.આ અવકાશી પદાર્થ કોઈ સેટેલાઈટનો ભાગ છે કે પછી રોકેટનો હિસ્સો છે તે અંગે તજજ્ઞો સાથે ચકાસણી કરાવી પ્રજાજનોને ચોક્કસપણે જણાવીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here