જેમાં કારે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા બે જોડિયા ભાઈના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો.જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બે જોડિયા ભાઈ મહેશ ચૌહાણ, મનોજ ચૌહાણ અને તેની સાથેનો યુવાન જામજોધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા જઇ રહ્યા હતા. ત્યારે ગણોદ-વાડાસડા ગામે અકસ્માત નડ્યો હતો. મૃતક જોડિયા ભાઈને માતા હયાત નથી અને પિતા માનસિક દિવ્યાંગ છે. માની કૂખેથી જન્મ સાથે લેનારા જોડિયા ભાઈએ દુનિયાને પણ સાથે અલવિદા કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગત બે જોડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ મનોજ ધનજી ચૌહાણ અને નગીન લાલજી ઢાંકેચા ત્રિપલ સવારી બાઇકમાં કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા. ત્યારે રસ્તામાં ઉપલેટાના ગણોદ અને વાડાસડા વચ્ચે પાછળથી આવતી કારના ડ્રાઈવરે જોરદાર ટક્કર મારતા ત્રણેય બાઇક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં મનોજ અને મહેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નગીનને ગંભીર ઈજા પહોંચતા ઉપલેટા કોટેજ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જામજોધપુરના ગોપથી તરસાઈ ઢોલ વગાડવા જતા સફાઈ કામદાર સમાજના જોડિયા ભાઇઓના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. બંન્ને જોડિયા ભાઈઓનો જન્મ પણ સાથે અને મરણ પણ સાથે થતા પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.
Read About Weather here
આ બનાવની જાણ થતા ઉપલેટા વાલ્મિકી સમાજના આગેવાનો ઉપલેટાની સરકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. મૃતક બન્ને ભાઈઓ અપરિણીત હતા. બંને ભાઈઓની માતા હયાત નથી જ્યારે પિતા માનસિક રીતે દિવ્યાંગ છે. ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.17 દિવસ પહેલા જસદણના વીરનગર પાસે ફોર વ્હિલરચાલકે એક્ટિવાચાલકને એડફેટે લીધી હતી. મૃતક જેનિશ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને હજુ બે મહિના પહેલાં જ તેનાં લગ્ન થયા હતા.જેમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એક્ટિવામાં સવાર બે યુવક જેનિશ હરેશભાઈ બરવાળિયા અને કેનિલ હિતેશભાઈ પરસાણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here