‘રૉકીભાઈ’નું ફ્યૂચર…!

'રૉકીભાઈ'નું ફ્યૂચર…!
'રૉકીભાઈ'નું ફ્યૂચર…!
બેંગલુરુના એસ્ટ્રોલોજર પંડિત જગન્નાથ ગુરુજીએ યશના જીવન અંગે ભવિષ્યવાણી કરી હતી. સાઉથ સુપરસ્ટાર શ હાલમાં ‘KGF 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે. તાજેતરમાં જ યશના ભવિષ્ય અંગે એક એસ્ટ્રોલોજરે મીડિયા સાથે વાત કરી હતી.  તેમણે કહ્યું હતું કે યશ ઘણો જ મહેનતી, ઈમાનદાર તથા પોઝિટિવ વ્યક્તિ છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી સમયમાં તે બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની જેમ યુનિવર્સલ સ્ટાર બની કે છે.પંડિત જગન્નાથે કહ્યું હતું કે આગામી દિવસોમાં યશ પોતાનું પ્રોડક્શન હાઉસ લૉન્ચ કરશે. આ ઉપરાંત 10 વર્ષ પછી તે રાજકારણમાં જઈ શકે છે. યશ ફિલ્મ, પોલિટિક્સ ઉપરાંત બિઝનેસમાં પણ નસીબ અજમાવશે અને એક સફળ બિઝનેસમેન સાબિત થશે. આટલું જ નહીં તે તેની ગણના દેશના ટોપ એક્ટર્સમાં થશે.

પંડિતજીએ યશના પરિવાર અંગે કહ્યું હતું કે બિઝી શિડ્યૂઅલ હોવા છતાં યશ પોતાના પરિવારને પૂરતો સમય આપશે. થોડા સમય માટે યશ તથા પરિવાર વચ્ચે મતભેદ થઈ શકે છે, પરંતુ તેમાં ચિતાનું કોઈ કારણ નથી.રિપોર્ટ્સ પ્રમાણે, 100 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે રિલીઝના 14મા દિવસે 15 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે.

Read About Weather here

પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, શ્રીનિધી શેટ્ટી, પ્રકાશ રાજ, રવીના ટંડન પણ છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે અત્યાર સુધી કુલ 958 કરોડની કમાણી કરી છે. હિંદી વર્ઝને કુલ 343.13 કરોડની કમાણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here