ભારતીય રેલવેએ લાંબા અંતરની કેટલીક પેસેન્જર ટ્રેનોમાં એરકન્ડિશન્ડ વર્ગમાં તેમજ રાતની સફર કરનાર પ્રવાસીઓને બ્લેન્કેટ, ચાદર, તકીયો, બેડરોલ જેવી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે. ૨૦૨૦ના માર્ચમાં કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાયા બાદ મે-૨૦૨૦થી આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તે છતાં હવે એરકન્ડિશન્ડ ટ્રેનોમાં પ્રવાસીઓને બ્લેન્કેટ પૂરા પાડવાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે. તકીયો, બ્લેન્કેટ, ચાદર અને ટુવાલ ચીજવસ્તુઓ સીલ-બંધ કવરમાં રાખીને આપવામાં આવશે.મે-૨૦૨૦થી રેલવેએ ટ્રેનોમાં બેડરોલ આપવાનું બંધ કર્યું હતું અને બારીઓ પરથી પડદા પણ કાઢી લીધા હતા.
Read About Weather here
એવી ટ્રેનોના ડબ્બાઓમાં લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સિયસનું સેટ કરી દેવામાં આવ્યું હતું.લાંબી સફરવાળી એસી ટ્રેનોના પ્રવાસીઓને એમના પોતાના બ્લેન્કેટ્સ અને તકીયા લાવવાનું કહેવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here