વિધાનસભા ચૂંટણી વખતના વચનો પૂર્ણ કરવાનું પંજાબની ‘આપ’ સરકારે શરૂ કર્યું હોય તેમ 1લી જુલાઈથી તમામ પરિવારોને 300 યુનિટ મફત વિજળી આપવાની ઘોષણા કરી છે. પંજાબની ચૂંટણીમાં 117માંથી 92 બેઠકો જીતીને રાજકીય ભૂકંપ સર્જયો હતો. ચૂંટણી ઢંઢેરામાં પાર્ટી દ્વારા અનેક વચન આપવામાં આવ્યા હતા તે પૈકી 300 યુનિટ મફત વીજળીનું મુખ્ય હતું.
Visit Saurashtra Kranti Homepage here
હવે આપની માન સરકારે આ વચન પૂર્ણ કર્યું હોય તેમ 1લી જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવાનું જાહેર કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી માન ત્રણ દિવસ પૂર્વે દિલ્હી ગયા હતા. મફત વીજળીના મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. અને તેમાં જ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
Read About Weather here
આપ ગુજરાતની ચૂંટણીમાં પણ ઝુકાવવાનું છે એટલે તેમાં પણ પ્રભાવ પાડવા નિર્ણય વ્હેલો લેવાયાનું મનાય છે. પંજાબમાં ખેડૂતો સહિત તમામ લોકોને મફત વીજળીની યોજનાનો લાભ આપવાનું વચન આમ આદમી પાર્ટીએ ગયા વખતે ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. સત્તાપર આવતા વેત પક્ષ દ્વારા વચન મુજબ જનતાને સગવડ આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here