પૂજય ચારણ ઋષિ મોગલકૂળ બાપુશ્રીના સંકલ્પ સિધ્ધિ સ્વરૂપે ભવ્ય આયોજન
કચ્છ-ભચાઉના પાવન કબરાઉ મોગલધામ ખાતે આગામી તા.3 એપ્રિલે રવિવારથી તા.7 એપ્રિલે ગુરૂવાર સુધી પંચ દિવસીય 151 કુંડીય શિવશકિત અતિમહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.દેશ-વિદેશમાં માઁ મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી શ્રધ્ધાળુઓ અને જગત કલ્યાણાર્થે પૂ.ચારણ ઋષિ મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત મોગલધામ સેવકગણ-કબરાઉ આયોજીત શ્રી શિવશકિત 151 કુંડીય પંચ દિવસીય માઁ મણીધર મોગલ વડવારી અતિમહાયજ્ઞના ધર્મોત્સવમાં આચાર્યપદે ગુરૂદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિધ્ધાર્થ મહારાજ (અંબાધામ-દૂધઈ) બિરાજીને ધર્મભકિતનું રસપાન કરાવશે.
Visit Saurashtra Kranti Homepage here
કબરાઉ મોગલધામની તીર્થભૂમિ મધ્યે પૂ.ચારણઋષિ મોગલકુળ બાપુશ્રીના સંકલ્પ સિધ્ધિ સ્વરૂપે આયોજીત ધર્મોત્સવમાં પાંચ દિવસ દરમિયાન આરંભે તા.3 ને રવિવારે સવારે 9:30 થી બપોરે 1:30 સુધી સર્વે ભૂદેવો અને યજમાનો દ્વારા માતાજીના થાળ દર્શન બાદ યજ્ઞ મંડપમાં દિપ પ્રાગટય, યજ્ઞ દિક્ષા, દેહશુધ્ધિ, મંડપ પ્રતિષ્ઠા, ધ્વજાતોરણ પ્રતિષ્ઠા, વાસ્તુ પ્રતિષ્ઠા, આરતી વંદના વગેરે થશે.
બીજા દિવસે તા.4 ને સોમવારે સવારે 9:30 થી 1:30 સુધી શિવશકિત શોભાયાત્રા, નગર પ્રદક્ષિણા, વરૂણયજ્ઞ, ગૌધણપૂજન, કુમારીકા પૂજન, અશ્ર્વરજા પૂજન, રૂદ્રચંડી હોમ વગેરે થશે.ત્રીજા દિવસે તા.5 ને મંગળવારે એ જ સમય દરમિયાન ગણેશ અંબિકા આરાધના, શિવશકિત પૂજન, યજ્ઞ દ્વારા રૂદ્રચંડી હોમ અને મહાપ્રસાદ યોજાશે.ચોથા દિવસે તા.6 ને બુધવારે અગ્નિ પ્રતિષ્ઠા, અન્નકૂટ, ષોડષ શ્રૃંગાર, મોગલ આરાધના, મૃડાગ્નિ પ્રતિષ્ઠા યોજાશે.
Read About Weather here
અંતિમ દિવસે તા.7 ને ગુરૂવારે સવારે 9:30 થી 1:30 દરમિયાન ગણપત્યાદિ દેવતા આહવાન, વિશેષ અર્ચના, સંકલ્પીત રૂદ્રચંડી સમાપન, બલીદાન, કૂલહોમ, દૈવ્ય શોભાયાત્રા વગેરે યોજાશે. આ ઉપરાંત રાત્રે 10 વાગ્યે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને જીતુદાદ ગઢવી તથા ભજનિક કીર્તિદાન ગઢવી અને દેવરાજ ગઢવી (નાનો ડેરો) દ્વારા સાજીંદાઓના સથવારે સંતવાણીની સરવાણી વહાવાશે. જેનું સંચાલન મોરારદાન ગઢવી સંભાળશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માઁ આશાપુરા ન્યુઝ પરથી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here