પોતાની જ બેદરકારીના કારણે મોત…!

પોતાની જ બેદરકારીના કારણે મોત…!
પોતાની જ બેદરકારીના કારણે મોત…!
18 વર્ષીય યુવકને 3 માસ પહેલાં કૂતરું કરડ્યુ હતું. તે બાદ દાખવેલી બેદરકારી તેના માટે મોતનું કારણ બની હોવાની વિગતો મળી છે. કૂતરું કરડ્યા બાદ સમયસર હડકવાની રસી ન મૂકાવનાર વડોદરા શહેર નજીક આવેલા વડદલા ગામના આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરાના તરસાલી નજીક આવેલા હરિનગર વડદલા ગામમાં કૃણાલ વિજયભાઈ જાદવ (ઉં.વ.18) છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. 3 મહિના પહેલા કૃણાલને રસ્તે રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. જેમાં તેના પગ પર કૂતરાનો એક દાંત વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ, આ બનાવ બાદ કૃણાલે એન્ટિ રેબિસ્ટના ઈન્જેક્શનો લેવાના ડરે તે સમયે કૂતરું કરડવાની સારવાર કરાવી ન હતી. પરંતુ તેને નહોતી ખબર કે તેની આ બેદરકારી તેનો જીવ લઈ લેશે.જ્યારે કૃણાલને તેના પરિવારે ઈજા વિશે પૂછ્યું ત્યારે પણ તેને ઈન્જેક્શનોના ડર રાખીને પતરૂ વાગ્યું હોવાની વાત જણાવી સારવાર કરાવી ન હતી. જેનું પરિણામ એ આવ્યું કે, તેના શરીરમાં ધીરે ધીરે આ હડકવાની અસર પ્રસરવા લાગી. 3 મહિના બાદ તેને પેટમાં અસહ્ય દુઃખાવો, પેશાબ બંધ થવો, ખોરાક લેવા માટેની અન્નનળી સંકોચાઈ જવી સહિતના હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા.

Read About Weather here

જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. કૃણાલે સારવાર કરાવવા માટે દાખવેલી નિષ્ક્રિયતાને પગલે તેના માટે જીવલેણ પુરવાર થઇ હતી.પરિવારે એકનો એક દિકરો અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેને પગલે સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. તે સાથે આ બનાવે વડદલા ગામ સહિત આસપાસના ગામોમાં સન્નાટો પાથરી દીધો છે. આ વિશે તબીબોનું કહેવું છે કે, કોઈ પણ જીવજંતુ અને પ્રાણીના કરડવાને ગંભીરતાથી લેવું જરૂરી છે. જેથી કરીને લોકોએ તુરંત જ સારવાર લેવી જરૂરી છે. આ માટે સરકાર દ્વારા પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. જેથી કરીને લોકોએ હવે જાગૃતિ કેળવવાની જરૂર છે.તેમાં પણ કૂતરાના કરડ્યા બાદ સારવાર લેવામાં ન આવે તો 20 વર્ષ બાદ પણ તે વ્યક્તિને હડકવાની અસર થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here