વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળતા ચકચાર

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

દૃશેરાના દિવસે વડોદરા પાસેની પંચવટી કેનાલમાં એક માતા અને પુત્રીનો પગ લપસ્યો હતો અને બંનેના કેનાલમાં ગરવાક થઈને મૃત્યુ થયા હતા. ત્યારે આ ત્યારે પુત્રીનો મૃતદૃેહ મળી આવ્યો હતો. પરંતુ આજે માતાનો મૃતદૃેહ કેનાલ પર તરી આવ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ મૃતદેહ કાઢવા માટે કેનાલમાં ઉતરી હતી, ત્યારે આ દરમિયાન માનવ અવશેષ ભરેલો થેલો મળી આવ્યો છે. આ માનવ અવશેષ વડોદરા પોલીસ જેને શોધી રહી છે તે બાબુ શેખના હોવાની આશંકા છે. થોડા દિવસ અગાઉ સીઆઈડીની ટીમે બાબુ શેખનો મૃતદેહ શોધવા આખી કેનાલ ખાલી કરાવી હતી.

આજે પંચવટી કેનાલમાંથી ફાયર બ્રિગેડની ટીમને માનવ અવશેષો મળી આવ્યા છે. ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન ટીમને પોટલામાં ભરેલા માનવ અવશેષો મળ્યા છે. ત્યારે આ માનવ અવશેષો બાબુ શેખના હોવાની આશંકા છે. ત્યારે પોટલુ ભરીને માનવ અવશેષો મળતા ચકચાર મળી છે, અને પોલીસ પણ દોડતી થઈ છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ જ આ કંકાલ બાબુ શેખના છે કે નહિ તે સ્પષ્ટ થશે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. ગાંધીનગર અને વડોદરા સીઆઈડી ક્રાઈમની ટીમની તપાસ છાણી કેનાલ સુધી પહોંચી છે. થોડા દિવસો અગાઉ સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલ ખાલી કરાવી હતી. સીઆઈડી શેખ બાબુના મૃતદેહને કેનાલમાં શોધી રહી છે.

શેખ બાબુની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાની માહિતી ટીમને મળી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ સહિત ૬ પોલીસકર્મીઓ બાબુ શેખની હત્યામાં સામેલ છે. છાણીની નર્મદા કેનાલમાં ૯ કિલોમીટર સુધી તપાસ કરાઈ હતી. જોકે, સીઆઈડીની ટીમને હજી સુધી લાશનો પત્તો નથી લાગ્યો. આ શોધખોળમાં વડોદરાના અનેક વિસ્તારોને પાણી કાપનો પણ સામનો કરવો પડ્યો હતો.