દુનિયામાં દ્યણી એવી બીમારીઓ છે, જેની સારવાર શકય નથી. આવા જ એક રોગનું નામ છે લિમ્ફેડેમા, જેને સામાન્ય ભાષામાં એલિફન્ટ ફૂટ પણ કહેવાય છે. મેડિકલ સાયન્સમાં દ્યણી વખત પરિસ્થિતિઓ એવી બની જાય છે, જયારે એવું કહેવામાં આવે છે કે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. તેને દુનિયાનો સૌથી અનોખો રોગ કહેવાય છે.વાસ્તવમાં, થોડા સમય પહેલા ડોકટરોની ટીમે હાથીના પગથી પીડિત વ્યકિતનું સફળ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન પહેલા દર્દીએ દેશની તમામ મોટી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, પરંતુ મેકસ હોસ્પિટલના ડોકટરોએ સર્જરી કરીને આ અશકય કામને શકય બનાવી દીધું હતું.હાથીના પગથી પીડિત વ્યકિતનું નામ અમિત કુમાર શર્મા છે.
Visit Saurashtra Kranti Homepage here
લગભગ ૧૦ વર્ષ પહેલા તેમનો અકસ્માત થયો હતો, જેમાં તેમને ડાબા પગમાં લિમ્ફેડેમા નામની બીમારી થઈ હતી. આ રોગમાં દર્દીનો પગ થોડા જ સમયમાં હાથીના પગ જેવો થઈ જાય છે. અમિત છેલ્લા ૧૦ વર્ષથી દેશની તમામ મોટી હોસ્પિટલોની મુલાકાત લેતો હતો, જેના કારણે તેના ખિસ્સામાં પૈસા બચ્યા નહોતા. આ બીમારીને કારણે તે ચાલી પણ શકતો ન હતો, જેના કારણે તેની નોકરી પણ જતી રહી હતી. તેના સિવાય દ્યરમાં કોઈ કમાનાર નહોતું. ત્યારબાદ અમિતે ઓગસ્ટ ૨૦૨૧માં મેકસ હોસ્પિટલ પટપરગંજના ડોકટરોને બતાવ્યા અને ત્યારથી તેની સર્જરી શરૂ થઈ.
અમિતની સારવાર માટે મેકસ હોસ્પિટલના ૨૫ ડોકટરોની ટીમે ૬ મહિનામાં ૧૮ થી વધુ સર્જરી કરી હતી. આ સર્જરીમાં ૯૦ કલાકથી વધુ સમય લાગ્યો હતો. જયારે અમિત મેકસ હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેના પગનું વજન લગભગ ૫૦ કિલો હતું જે હવે લગભગ ૨૩ કિલો છે. એટલે કે સર્જરી બાદ તેના પગનું વજન ૨૭ કિલો દ્યટી ગયું છે. મેકસ હોસ્પિટલ, પદપરગંજના એમડી ડો. મનોજના જણાવ્યા અનુસાર, આ તેમના માટે એકદમ નવો કેસ હતો અને અમિતની દ્યણી જગ્યાએ સારવાર થઈ ચૂકી છે, જેના કારણે કેસ વધુ ખરાબ થઈ રહ્યો હતો.
Read About Weather here
પરંતુ અમારી સફળ સર્જરી બાદ અમિત હવે ચાલી શકે છે.સામાન્ય રીતે જો તમે આ રોગને કેન્સર જેટલો ખતરનાક કહી શકો. આમાં દર્દીની અમુક અકસ્માતમાં કેટલીક નસોને નુકસાન થાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ વહેતો નથી અને એક જગ્યાએ લોહી એકઠું થવા લાગે છે. આ એક પ્રકારનું સ્લો પોઈઝન છે, જે દર્દીને ધીરે ધીરે મારી નાખે છે. જોકે, હવે આ ઓપરેશન બાદ અમિત ચાલી શકે છે. આ જ તબીબોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં તેમના બંને પગની સાઈઝ લગભગ સરખી થઈ જશે.જેના કારણે પગની સાઈઝ સતત વધવા લાગે છે અને તેની સીધી અસર મગજ અને હૃદય પર પડે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here