કવિ અજાત શત્રુ સાત દિવસમાં માફી નહીં માંગે તો કાયદાકીય કરાશે: ભાનુબેન સોરાણી, મહેશ રાજપૂત
કવિઓ અને હાસ્ય કલાકારો રાષ્ટ્રીય કક્ષાના કોઈપણ પક્ષના નેતાઓની જે રીતે ઠેકડી ઉડાળી રહ્યા છે તે સમાજ માટે શરમજનક છે : ભાનુબેન સોરાણી
મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન મહેશભાઈ રાજપુતે યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બુધવારે હિન્દી કવિ હાસ્ય સંમેલન કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્સ ખાતે યોજવામાં આવેલ હતું. જે હોળી-ધુળેટીના ઉપલક્ષમાં સામાન્યત: દર વર્ષે યોજાતું હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સન્માનનીય નેતા રાહુલ ગાંધી વિષે અપમાનજનક ટીપ્પણી અને તેઓની ગરીમાને ઠેસ પહોંચે તેવો ભાષા પ્રયોગ કરનાર આ કાર્યક્રમના સંચાલક-અજાત શત્રુ (ઉદયપુર) ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે
Read About Weather here
આ સંચાલક એવા અજાત શત્રુ (ઉદયપુર) સાત દિવસમાં માફી નહી માંગે તો તેઓની સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેવું મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here