રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે: પાટીલ

રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે: પાટીલ
રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે: પાટીલ

અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત અને હિન્દુ ધર્મસેના, રાજકોટ દ્વારા ભવ્ય હિન્દુ ધર્મ સંમેલન યોજાયું
હિન્દુ ધર્મસેના રાજકોટના પ્રમુખ ડી.વી.રાણા (પીન્ટુભાઈ ખાટડી)ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં યુવાનો હિન્દુ સેનામાં જોડાયા
પાટીલના જન્મદિવસની ઉજવણી કરાઇ

અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત અને હિન્દુ ધર્મસેના, રાજકોટ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલનો જન્મદિવસ 16 માર્ચના રોજ છે. પરંતુ રાજકોટમાં હિન્દુસેના દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સંતો-મહંતોએ તેમનું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પાટીલનું આગમન થતા જ સંતો-મહંતોએ તેમને આવકાર્યા હતા. તેમજ લોકોએ ગુલાબની પાંદડીનો પાટીલ પર વરસાદ કર્યો હતો. આ સંમેલનમાં શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સંત સમિતિએ 20 જિલ્લામાં સંગઠન બનાવ્યું છે, આ રીતે ધર્મનો વધુને વધુ પ્રચાર થાય કે જેનાથી હિન્દુ ધર્મ પર આફત ન આવે.

Visit Saurashtra Kranti Homepage here

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશની અંદર અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું બીડું ઝડપ્યું છે. રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવનારા થોડા દિવસની અંદર મંદિરનું નિર્માણ પૂરૂ થશે. રાજકોટ મોજીલું છે એવું લોકો કહેતા હતા પરંતુ રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે. સોમનાથ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો હતો. સેવાકીય પ્રવૃત્તિઓ મંદિરો કરતા રહ્યા છે. મને વિશ્વાસ છે કે, અખિલ ભારતીય સંત સમિતિ આગામી સમયમાં વધુ મજબૂતાઈથી કામ કરશે. તેઓને જરૂર પડશે ત્યાં ભાજપ સાથે ઉભું રહેશે.

હિન્દુ ધર્મસેના રાજકોટના પ્રમુખ ડી.વી.રાણાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં યુવાનો હિન્દુ સેનામાં જોડાયા છે.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો જન્મદિવસ હોય 67થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય અભિવાદન પણ કરવામાં આવ્યું છે.હિન્દુ ધર્મના લોકોને સંગઠિત કરવા રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌગંગા રક્ષા તથા સંસ્કૃતિ પરંપરાને જીવંત કરવા સમગ્ર ગુજરાતમાં સંતો દ્વારા આવા જન જાગરણરૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતના 137 મતપંથ અને સંપ્રદાયના સંતો મહંતો એક મંચ પર જોવા મળ્યા હતા. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.

Read About Weather here

આ હિન્દુ સંમેલનમાં આચાર્ય અવિચલદાસજી મહારાજ, વડતાલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રમુખ નૌતમ સ્વામી ઉપસ્થિત રહી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને જન્મદિવસે આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતી (રાષ્ટ્રીય મહામંત્રી અ.ભા.સ.સ). ભરવાડ સમાજના રામબાપુ (બાવળીયાળી), મુક્તાનંદ બાપુ (ચાપરડા), સંત રાજેન્દ્રદાસ બાપુ (નકલંગ ધામ તોરણીયા), સંત યતિબ્રહ્મદેવજી (મહંત ગુરુદત્ત મઠ-કૂવાડવા), મહામંડલેશ્વર 1008 નરેન્દ્રબાપુ (આપાગીગા ઓટલો-ચોટીલા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here