જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપને હરાવવાનું આસાન થઈ જશે: મમતા બેનર્જી
કોંગ્રેસ પર નિર્ભર રહી શકાય તેમ નથી
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ ઇચ્છે તો આપણે બધા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો પર સાથે મળીને 2024ની સામાન્ય ચૂંટણી લડી શકીએ છીએ. કોંગ્રેસ અત્યારે આક્રમક ન બને અને સકારાત્મક રહે, પરંતુ કોંગ્રેસની વિશ્ર્વસનીયતા ખતમ થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
જો કે કોંગ્રેસ પર નિર્ભર રહી શકાય તેમ નથી. કોંગ્રેસ ઈચ્છે તો પીછેહઠ કરી શકે છે, પરંતુ વિપક્ષમાં રહેલા તમામ પક્ષોએ એક થવું પડશે. શુક્રવારે વિધાનસભામાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારોના પ્રશ્ર્નના જવાબમાં સીએમ મમતા બેનર્જીએ આ વાત કહી હતી .
Read About Weather here
ભૂતકાળમાં પણ સીએમ મમતા બેનર્જી વિરોધી પક્ષોને એક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસથી અંતર બનાવી રહી હતી. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રાદેશિક પક્ષોને સાથે આવવાનું આહ્વાન કર્યું હતું. ટીએમસીના વડા મમતા બેનર્જીએ મુંબઈમાં સિવિલ સોસાયટીના સભ્યો સાથે વાત કરતા કહ્યું હતું કે જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપને હરાવવાનું આસાન થઈ જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here