સુરત નજીક કિમ સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 7.55 કલાકે તેજસ એક્સપ્રેસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો. એને કારણે ટ્રેનના કોચના કાચ અને બર્થને નુકસાન થયું હતું. માહિતી આપતાં વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે સુરતથી ટ્રેન રવાના થયા બાદ જ્યારે કિમ સ્ટેશન નજીક પહોંચી હતી ત્યારે સાંજે 7.55 વાગ્યે કેટલાક અજાણ્યા શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો,
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ટ્રેનના સી – 4 અને સી – 6 કોચની વિન્ડોને નુકસાન થયું હતું. જોકે મુસાફરોનો બચાવ થયો હતો અને સમયસર નીચે નમી ગયા હતા, જેને કારણે તેમને કોઈ ઈજા થઈ નહોતી. કોસંબા રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Read About Weather here
ટ્રેનના C-4 અને C-6 કોચના કાચ અને બર્થને નુકસાન કિમ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 8 વાગ્યાના અરસામાં સુરતથી ઊપડેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં C-4 અને C-6 કોચના કાચને નુકસાન થયું હતું. કાચ પર પથ્થરમારાનો અવાજ શરૂ થતાં મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here