થોરાળા પોલીસે ગુનો નોંધ્યો: હત્યાથી ત્રણ દીકરી, એક દિકરાએ પિતાનું છત્ર ગુમાવ્યું
શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. આજી જીઆઇડીસી મેઇન રોડ પર અમુલ કારખાના સામે ઇંડાની લારી અને શેરડીના રસનો ચીચોડો ધરાવતાં ખોડિયારપરાના આધેડે સાંજે આઠેક વાગ્યે ભૈયાનો મોબાઇલ ફોન ચોરનારા જંગલેશ્ર્વરના બે રજપૂત શખ્સ પાસેથી ભૈયાને મોબાઇલ ફોન પાછો અપાવી આ બંને શખ્સોને પ્લાસ્ટિકના પાઇપથી ફટકાર્યા હોઇ તેનો ખાર રાખી આ બંને શખ્સોએ કાવત્રુ ઘડી રાતે અગિયારેક વાગ્યે 12 જણા સાથે ફરીથી રસના ચીચોડે આવી ધમાલ મચાવી મુસ્લિમ આધેડને અમુકે પકડી રાખી ત્રણ જણાએ આડેધડ 9 જેટલા છરીના ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
આધેડની હત્યા તેના ભત્રીજા સહિતના લોકોની નજર સામે જ થઇ હતી. આ બનાવમાં થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનેલા સલિમભાઇ ઉર્ફ સાજીદભાઇ ચાંદભાઇ કુરેશી (ઉ.વ.45)ના ભત્રીજા આજી વસાહત 80 ફુટ રોડ પર નકલંક ડેરીની બાજુમાં શેરી નં. 26માં રહેતાં અને કારખાનામાં કામ કરવા ઉપરાંત આજી વસાહત ખોડિયારપરાના ખુણે ઇંડાની લારી પણ રાખી ગુજરાન ચલાવતાં અલ્ફાઝ ઇકબાલભાઇ કુરેશી (સિપાહી) (ઉ.વ.26)ની ફરિયાદ પરથી જંગલેશ્વર વિસ્તારના શક્તિ ઘનશ્યામભાઇ જાદવ, કૃપાલ ઉર્ફ કાનો અજયભાઇ પરમાર, બહાદુર, શૈલેષ, વિક્કી, શાહરૂખ,
Read About Weather here
શાહિદ તથા પાંચ અજાણ્યા સામે આઇપીસી 302, 323, 504, 506 (2), 120 (બી), 143, 147, 148, 149, 135 (1) મુબજ કાવત્રુ રચી ગેરકાયદે મંડળી બનાવી ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. હત્યાની ઘટના જાહેર થતાં પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, અજીતભાઇ ડાભી અને ડી. સ્ટાફની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here