મોબાઈલથી જ પોતાની પોલીસ ફરિયાદૃ નોંધાવી શકે તેવી સુવિધા શરૂ કરાશે
અમદાવાદ પોલીસ દ્વારા એક ખૂબજ સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયાના તમામ એડિટર અને સંચાલકો સાથે પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો
અમદૃાવાદૃમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસે અનેક કડક પ્રયાસો હાથ ધર્યા છે. જેમા અમદૃાવાદૃ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા અંદૃાજે 16 હજાર જેટલા લોકોના રૂપિયા પણ પરત અપાવવામાં આવ્યા છે.આ મુ્દ્દે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમદૃાવાદૃ પોલીસ દ્વારા એક ખૂબજ સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે. લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયાના તમામ એડિટર અને સંચાલકો સાથે પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
સચોટ અને સમયસર માહિતી અને સમાજમાં મીડિયાનો નવા પ્રયોગ થકી તંત્ર અને પ્રજા જોડતો આ પ્રયોગ છે.
Visit Saurashtra Kranti Homepage here
આગામી દિૃવસોમાં રાજ્યના તમામ શહેરમાં આવો પ્રયોગ હાથ ધરાશે.જેમાં નવા આઈડિયા, માહિતી અને તમામ બાબતો પોલીસ સુધી મળે તેવા પ્રયાસ હાથ ધરાશે. સાથે જ નજીકના સમયગાળામાં ગુજરાતમાં નવી સ્પોટર્સ પોલિસી આવશે જેમા યુવક-યુવતીઓને સારી તક અને પ્રોત્સાહન મળશે. સાથે જ નાગરિકો મોબાઈલથી જ પોતાની પોલીસ ફરિયાદૃ નોંધાવી શકે તેવી સુવિધા શરૂ કરાશે.
Read About Weather here
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, હું અમદૃાવાદૃ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને તેમની આખી ટીમને અભિનંદૃન પાઠવું છું. જે પ્રકારે પ્રેઝન્ટેશનના માધ્યમથી સૌને માહિતી આપવામાં આવી કે કેવી રીતે અમદૃાવાદૃ સાયબર ટીમ દ્વારા 16 હજારથી વધુ લોકોને પૈસા પરત આપવવામાં આવ્યાં. સાથે જ ગુજરાતના તમામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં અમદૃાવાદૃ સાયબર ટીમ કયા પ્રકારે મદૃદૃગાર થઈ છે. સાથે જ ઈકોનોમીક ઓફિસ તેમજ નિર્ભયયા પ્રોજેકટ માટે પણ યોગ્ય કામગીરી કરી. નિર્ભયા પ્રોજેકટ એ મહિલાઓની સુરક્ષા માટેનો પ્રોજેક્ટ છે. જેમા અમદૃાવાદૃ પોલીસે શહેરની 40 હજાર બહેનો જોડે સર્વે કરાયો હતો. આ સર્વેમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ, બસ સ્ટોપ પર ઇમરજન્સી સ્વીચ સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here