હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, મારી પાસે દિકરીના લગ્ન માટે પૈસા પણ નથી, તેના પર રાબિયાએ જણાવ્યું હતું કે, તેઓ ભાવનાશીલ થઈને આવું બોલી રહ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
નવજોત સિંહ સિદ્ધુની દિકરી રાબિયા સિદ્ધુ પણ પોતાના પિતાના પ્રચારમાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રાબિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેના પિતા જીતશે નહીં ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.મેં જાતે કહ્યું છે કે, જ્યાં સુધી મારા પિતાની જીત નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં કરું.
તેમના પિતા આજે પણ કંઈ પણ કરવા અને ભણવા માટે પ્રોત્સાહન આપે છે. મારા માટે તેમની પાસે બધું જ છે. એવું કઈ રીતે બની શકે કે, મારા લગ્ન માટે તેમની પાસે પૈસા નથી.આ ઉપરાંત હાલના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ફરી વાર સીએમ ચહેરા તરીકે ઘોષિત કરવા પર રાબિયાએ જણાવ્યું કે, હાઈકમાન્ડ તો હાઈકમાન્ડ હોય છે.
કદાચ હાઈકમાન્ડની કંઈક મજબૂરી રહી હશે. પણ આપ એક ઈમાનદાર માણસને વધારે સમય સુધી રોકી શકતા નથી. તથા બેઈમાન માણસને રોકાવું જ પડે છે. તેમની કદર થતી નથી. જે લોકોને આગળ કરવામાં આવ્યા તે તેના પતિના બરોબર ક્યારેય હતા જ નહીં. સાથે જ તેણે કહ્યું કે, પિતાને પંજાબનું દુ:ખ છે.
Read About Weather here
એટલા માટે તેઓ ભાવનાશીલ થઈને કડવા વચન બોલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રાબિયાએ પોતાના પિતાના પક્ષમાં પ્રચાર કરતા સંકેતોમાં જણાવ્યું હતું કે, તેના પિતા 14 વર્ષથી પંજાબ મોડલ બનાવવામાં લાગેલા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here