અમદૃાવાદૃ 1100 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે બીજા ક્રમે, જ્યારે રાજકોટના 460 અને વડોદૃરામાં 350 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું
સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોમાં સબસીડી આપતાં
1.5 લાખની કિંમતના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનની, 5 લાખ સુધીના ત્રણ પૈડા વાળા અને 15 લાખ સુધીના ફોરવ્હિલર પર સબસીડી મળશે
સુરત આરટીઓએ ઓગસ્ટ 2021થી 15 જાન્યુઆરી 2022 સુધી 2627 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી 1132 વાહન માલિકોને 2,46,16,000ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
વાહન માલિક કે ડિલરે સ્વયં સબસીડીની પ્રક્રિયા કરવી પડશે.1.5 લાખની કિંમતના ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનની ખરીદૃી કરનાર વાહન માલીક સબસીડીને પાત્ર ગણાશે. એ જ રીતે 5 લાખ સુધીના ત્રણ પૈડા વાળા અને 15 લાખ સુધીના ફોરવ્હીલર પર સબસીડી મળશે. 15 લાખથી વધુ કિંમતના વાહન સબસીડીને પાત્ર ગણાશે નહીં. સબસીડી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અમદૃાવાદૃ 1100 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે બીજા ક્રમે છે, જ્યારે રાજકોટના 460 અને વડોદૃરામાં 350 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. ઇલેક્ટ્રિક વાહનોમાં દ્વિચક્રી વાહનો પર સરકાર દ્વારા 20 હજાર અને 1.50 લાખની સબસીડી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સબસીડીની તમામ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે,
Read About Weather here
ઉપરાંત વધુ 50 બનાવવા મંજૂરી પણ મળી ગઇ છે.સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. આરટીઓમાંથી મેળવેલ છેલ્લા 6 મહિનાના આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધું ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું છે.ઓગસ્ટ 2021થી 15 જાન્યુઆરી 2022 સુધી સુરતમાં કુલ 2627 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર અને દ્વિચક્રી સહિતના વાહનોનો સમાવેશ થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here