આ બાબતે ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહે જણાવ્યું કે લોકહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકો ગેરમાર્ગે નહિં દોરાય અને સારી ગુણવત્તા વાળી પ્રોડક્ટ મળી રહેશે.કેન્દ્ર સરકારે કોસ્મેટિક એન્ડ ડ્રગ્સ એક્ટ 1945માં એક મહત્વપૂર્ણ સુધારો કર્યોકેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટેની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેથી આગામી દિવસોમાં હવે કરિયાણાની દુકાનમાં લાઇસન્સ વિના ઘર વપરાશના ફિનાઈલ કે કેમિકલ ધરાવતા લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.ઘર વપરાશની કેમિકલયુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ આવશેભવિષ્યમાં કરિયાણાની દુકાન પર ડેટોલ અથવા તો સેનેટાઇઝર, ઉપરાંત રોજિંદા જીવનમાં ઘર વપરાશ એટલે કે સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ જોવા ન મળે તો નવાઈ નહીં! સામાન્ય રીતે બજારમાં જોવા મળતી કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોરમાંથી ઘર વપરાશમાં ઉપયોગ થતા કેમિકલના વેચાણ પર નિયંત્રણ લાવવાની દિશામાં કાર્યવાહીની શરૂઆત કરી છે.
જે સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1994માં સુધારો કરીને ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત લિક્વિડને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો છે.સેનેટાઇઝર, હાર્પિક, લાઈઝોલ જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ Kમાં કરવામાં આવ્યોસેનેટાઇઝર, હાર્પિક, લાઈઝોલ જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ Kમાં કરવામાં આવ્યોધારાધોરણ પ્રમાણે લાયસન્સ ધારક દુકાનદાર જ વેચાણ કરી શકશેકેન્દ્ર સરકારે કોસ્મેટિક એન્ડ ડ્રગ્સ એક્ટ 1945માં એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ એક્ટમાં અલગ અલગ દવાના ઉપયોગ અને તેના મહત્ત્વ પ્રમાણે A લઈને X સુધી વિભાજન કરવામાં આવ્યું છે.
જે સંદર્ભે સેનેટાઇઝર, હાર્પિક, લાઈઝોલ વેગરે જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ Kમાં કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદનની સાથે-સાથે તેના વેચાણ માટે પણ ધારાધોરણ પ્રમાણે લાયસન્સ ધારક દુકાનદાર જ વેચાણ કરી શકશે.આ બાબતે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુ કુમાર પટેલે જણાવ્યું કે મેડિકલ સ્ટોર અથવા તો લાઇસન્સ ધરાવતા દુકાનદાર જ ઘર ઉપયોગી ડિઝાઇન્ફેકટર કેમિકલનું વેચાણ કે ઉત્પાદન કરી શકશે.
Read About Weather here
ડેટોલ અથવા તો સેનેટાઇઝર વેચાણ માટે લાઇસન્સ જરૂરી બનશેડેટોલ અથવા તો સેનેટાઇઝર વેચાણ માટે લાઇસન્સ જરૂરી બનશે આ ઉપરાંત ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારનાં કેમિકલ્સ અને તેનો ‘ફિનોલિક’ કેમિકલ હોય છે. જેથી લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુ મળે તે દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય.કોરોનાને કારણે ડિસઇન્ફેકટર ઉત્પાદનો આવ્યાએક્સપ્રેસ ફાર્મા રિસર્ચના સંચાલક મનીષ રાચ્છનું કહેવું છે કે કોરોના બાદ માર્કેટમાં મોટા પ્રમાણમાં સેનેટાઈઝર અને હાઉસ હોલ્ડ, એટલે કે ઘર વપરાશ માટેના ડિસઇન્ફેકટર ઉત્પાદનો આવ્યા. જેથી તેમાં ધારાધોરણ જળવાય તે જરૂરી બન્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here