આબુ રોડ સ્થિત શાંતિવન ખાતે ભવ્ય કાર્યક્રમ
રાજકોટ સહિત ભારતના તમામ સેવા કેન્દ્રોમાં પણ કાલથી પ્રોજેકટનો પ્રારંભ
બ્રહ્યાકુમારીઝ દ્વારા આબુ રોડ સ્થિત ડાયમંડ હોલ, શાંતિવન, ખાતે તા.20મીએ સવારે 10:30 વાગ્યે આઝાદી ના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રોજેક્ટ બ્રહ્માકુમારીઝ હેડક્વાર્ટર, માઉન્ટ આબુ અને ભારત સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉત્સવ બ્રહ્માકુમારીઝના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાના 53માં અવ્યક્ત આરોહણના અવસરે શરૂ કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી આખા વર્ષ દરમિયાન ચાલતા કાર્યક્રમોનો પ્રારંભ કરશે. જેમાં (1) મેરા ભારત – સ્વસ્થ ભારત (2) આત્મનિર્ભર કિસાન અભિયાન (3) મહિલાઓ – નવા ભારતના ધ્વજવાહક. ઉપરાંત, પુરા ભારત વર્ષના બ્રહ્માકુમારીઝ ના દરેક સેવાકેન્દ્રો દ્વારા આગામી 12 મહિનામાં યોજાનાર સમાજસેવા લોક ઉત્થાનના અનેક અભિયાનો જેવા કે, (1) શાંતિની શક્તિ યુવા પ્રદર્શન – બસ અભિયાન (2) અનદેખા ભારત – ભારતના વિરાસત સ્થળો પર સાયકલ રેલી (3) એક ભારત શ્રેષ્ઠ ભારત મોટર બાઈક ઝુંબેશ (4) સ્વચ્છ ભારત અભિયાનનું વડાપ્રધાન લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કરશે.
આ અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોત્સવને સંબોધશે. આ ઉત્સવ બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય સંચાલક આદરણીય દાદી રતન મોહિનીની હાજરીમાં યોજાશે.
Read About Weather here
રાજકોટ ખાતે પણ તા.20 સવારે 10 વાગ્યે જ્યોતિ દર્શન પંચશીલ સોસાયટી સેવા કેન્દ્ર પર આ પ્રોજેક્ટનું મહાનુભાવ તથા ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદીના હસ્તે દીપ પ્રજવલિત સાથે શુભારંભ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here