“શિકારી ખુદ યહાં શિકાર હો ગયા
ન કરવાના કામ કરવામાં માહિર નેતાના ભાઇ સાથે ન બનવાનું બન્યું: બચાવી લેતી ખાસ ટીમ
નેતાના ભાઇને “શેર સામે સવાશેર મળી જ જાયની કહેવત સમજાઇ: ન કોઇને કહેવાય કે ના સહેવાય જેવી હાલત થઇ ગઇ
હંમેશા ઇતિહાસ સાક્ષી છે કે ઘણી વખત શિકારી પણ શિકાર થઇ જતો હોય છે. તે જ રીતે નેતાનો ભાઈ ફાટીને ધુમાડે ગયો હોય તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલે છે તે સૌ કોઇ જાણે જ છે.
ખાસ બાંચ્રની મદદ લઈને જમીન-મકાન સહિતના કામો કરવામાં આવી રહ્યા છે! અને શહેરમાં એક સ્ટેશનને પણ એવું બનાવી દીધું છે કે, જાણે તે પોતાનું જ હોય અને પોતાના જ નિયમ ચાલતા હોય. આ નેતાનો ભાઈ પોતાનું ડાહપણ બધી જ જગ્યાએ ચલાવતો હોવાની ચર્ચાઓ ચાલે જ છે પણ તાજેતરમાં એક બનાવે વધુ ચર્ચાઓ જગાવી છે અને લોકોમાં હાસ્યનો દોર પણ વહી રહ્યો છે કારણ કે વાત જ જાણે એવી છે.
રઘવાયા થયેલ નેતાના ભાઇના કામોથી સૌ કોઇ વાકેફ જ છે અને તેજ રીતે આ નેતાનો ભાઇ એક સુચિત જમીન ખાલી કરાવવા ગયો હતો અને આ જમીન ખાલી કરાવવાનો હવાલો તેણે લીધી હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ જમીન ખાલી કરાવવા જતા નેતાના ભાઇએ સપનામાં પણ ન વિચાર્યુ હોય તેવુ તેની સાથે બન્યું હતું. ન કોઇને કહેવાય કે ના સહેવાય જેવી બાબત બની ગઇ હતી. જમીન ખાલી કરાવવા જતા ત્યાના વર્ષોથી રહેતા રહેવાસીઓના એક જુથે નેતાના ભાઇ ઉપર હલ્લાબોલ મચાવ્યો હતો.
કારણકે નેતાના ભાઇએ ત્યા વર્ષોથી રહેતા લોકોને આ જમીન ખાલી કરવાનું કહેતા રહીશોએ ના પાડી હતી અને તે વાતમાં ચડભડ થતા સામે સામે આવી ગયા હતા અને નેતાને ભાઇને ભાગવાનો વારો આવ્યો હતો કારણ કે શેરની સામે ક્યારે ક સવાશેર મળી જાય તો ભાગે તે જ ભાઇડો કહેવાય તે રીતે નેતાનો ભાઇએ ત્યાથી ચાલતી પકડી હતી અને નજીકની ઓફીસમાં પુરાઇ ગયા હતા. પણ સામે વાળુ જુથ છેક ઓફીસ સુધી પહોંચી ગયું હતું અને બુમાબુમ મચાવી દીધી હતી.
આવેલા લોકોના આકરા મિજાજને જોઇને તેનાથી બચવા માટે નેતાના ભાઇ સહિતનાઓ અંદર પુરાઇ ગયા અને ખાસ ટીમને ફોન કરી દીધો બાદમાં ખાસ ટીમે આવીને તમામને બચાવ્યા હતા. હવે આ વાત કોને કહેવા જઇએ?? પણ એક ચર્ચા એવી પણ ચાલે છે કે ખાસ ટીમ જો ના આવી હોત તો બિચારા નેતાના ભાઇની શું હાલત થાત તે બાબત વિચારવા જેવી છે.
ખુલ્લા સાંઢની જેમ ફરીને કબ્જો કરવો, જમીન-પ્લોટને ખાલી કરાવવા, નાની-મોટી જમીનના કામ, સુચિત-કાયદેસર જમીનના કામ જેવા અનેક કામોની દુકાન ખોલી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને તેને કોઈની બીક નથી હોવાની વાત હતી પણ આ બનાવ બનતા ક્યાંક બીકે જન્મ લીધો છે.
Read About Weather here
આ ભાઈના ત્રાસને કારણે અનેક વિભાગોના લોકો પોતાની બદલી પણ ઈચ્છે છે. કારણ કે, આ નેતાના ભાઈ ન કરવાના કામ કરાવે છે. અમીર લોકોને હેરાન કરવાના કામ અને ગરીબ લોકોને હેરાન કરવાનું કામ કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ બનાવ બનતા અનેકના મનમા લડ્ડું પણ ફુંટ્યા હોવાની વાતે વેગ પકડ્યો છે.(4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here