વાંદરાના મૃત્યુના શોકમાં 1500 વ્યકિતનો જમણવાર

વાંદરાના મૃત્યુના શોકમાં 1500 વ્યકિતનો જમણવાર
વાંદરાના મૃત્યુના શોકમાં 1500 વ્યકિતનો જમણવાર
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના દાલુપુરા ગામમાં એક વાંદરાનું ઠંડીના કારણે મૃત્યુ થયું હતું. આ બાદ, વાંદરાની ભારતીય સંસ્કૃતિ મુજબ, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેની આત્માની શાંતિ માટે ‘મૃત્યુ ભોજ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ભયનો માહોલ છે અને દરેક રાજય સરકાર પણ અગમચેતીના પગલાં રૂપે અનેક નિયંત્રણો લગાવી ચૂકી છે.છતાં ઘણા લોકો સરકારી નિયમોને નેવે મૂકીને પોતાની મરજી મુજબ વર્તન કરીને પોતાનું અને અન્યોનો જીવ જોખમમાં મૂકે છે.

મધ્યપ્રદેશના એક ગામમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે.આ કથિત જમણવારમાં ૧૫૦૦ થી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે એકસાથે બેસીને ભોજન કર્યું હતું.

Read About Weather here

નિયમોના સરેઆમ ભંગ બદલ, સ્થાનિક પોલીસે કાર્યવાહી શરુ કરી છે. જમણવારનું આયોજનકર્તાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ જમણવારની વીડિયો પણ વાયરલ થઈ છે. વાંદરાને અહીંના ગામવાસીઓ ભગવાન હનુમાનનું પ્રતીક માને છે અને તેને બચાવવા ગામના રહેવાસીઓએ ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ તેને બચાવી શકયા ન હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here