મધ્યપ્રદેશના બેહડવા ગામનો વતની અને સરધારમાં હરેશભાઇ પાનસુરિયાની વાડીમાં ખેતમજૂરી કરતા વેરસીંગ મહોબતસીંગ શિંગડ (ઉ.વ.23)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સરધારમાં હરિપર રોડ પર 23 વર્ષના પરપ્રાંતીય યુવકને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તેની સાથે રહેલા તેના 3 વર્ષના પુત્રને પણ હત્યારાઓએ બેરહેમીથી માર માર્યો હતો, બાળક લાંબો સમય પિતાની લાશ પાસે કણસતી હાલતમાં રહ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી, પોલીસ પહોંચી ત્યારે વેરસીંગની લાશ પાસે તેનો 3 વર્ષનો પુત્ર સચિન પણ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી અને માસૂમ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ત્યારે હત્યારાઓએ તેને આંતર્યા હતા અને વેરસીંગને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, ઘાતકી હત્યારાઓએ માસૂમ સચિનને પણ છોડ્યો નહોતો અને તેને પણ પથ્થરના ઘા માર્યા હતા, પિતાની લાશ પાસે માસૂમ સચિન લાંબો સમય કણસતી હાલતમાં પડ્યો રહ્યો હતો,
એ વખતે કોઇ રાહદારી પસાર થતાં તેની નજર પડી હતી અને પોલીસને જાણ કરી હતી. વેરસીંગની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વેરસીંગનો સાળો ધોરાજીમાં ખેતમજૂરી કરે છે, તેનો સાળો મધ્યપ્રદેશથી આવ્યો હતો અને ધોરાજી જતો હોય વેરસીંગ તેના પુત્ર સચિનને લઇ રાજકોટમાં ગોંડલ રોડ ચોકડીએ તેને મળવા ગયો હતો,
Read About Weather here
સાળાએ વેરસીંગને રૂ.700 રોકડા અને એકજોડી કપડાં આપ્યા હતા, સાળાને મળી વેરસીંગ અને પુત્ર સચિને કોઇ વાહનમાં સરધાર પહોંચ્યા હતા અને ત્યાંથી સાઇકલ પર વાડીએ જવા નીકળ્યા હતા, પિતા પુત્ર હરિપર રોડ પર પહોંચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here