કાશ્મીરનાં બળગામમાં ત્રણ આતંકીઓ ઠાર

કાશ્મીરનાં બળગામમાં ત્રણ આતંકીઓ ઠાર
કાશ્મીરનાં બળગામમાં ત્રણ આતંકીઓ ઠાર

મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો કબ્જે

જમ્મુ અને કાશ્મીરનાં બળગામ વિસ્તારમાં આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની જોરદાર અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા. બળગામ જિલ્લાનાં ઝોલવા કરાલપુરા ચાડુરા વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રાસવાદીઓને ઘેરી લેતા સામસામા ગોળીબાર થયા હતા અને ત્રણેય ત્રાસવાદી ઠાર કરવામાં આવ્યા હતા.
પોલીસ હજુ ઓળખ ચલાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્યાં સંગઠનનાં હતા એ હજુ જાણવા મળ્યું નથી. આઈજીપી એ જણાવ્યું હતું કે, સ્થળ પરથી મોટા પ્રમાણમાં શસ્ત્રો, દારૂગોળો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

Read About Weather here

ગઈકાલે પણ જૈશનાં ત્રણ ખૂંખાર ત્રાસવાદી ઠાર મરાયા હતા. અંકુશ રેખા ઉપર પણ પાકિસ્તાની સેના દ્વારા ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here